પ્રદુષણ ને લીધી ચકલીઓ નામશેષ થઈ રહી છે અને ઉનાળો આવતા જ પાણી વગર કેટલાય પક્ષીઓ ના મોત થતા હોય છે ત્યારે આવી રહેલા વિશ્વ ચકલી દિવસ અંતર્ગત જીવદયા પ્રેમીઓ દ્વારા પાણીના કુંડા માટે લોકો ને જાગૃત કરવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વલસાડ માં સેવા મિત્ર મંડળ વલસાડ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચકલી ઘર તથા પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યુ હતુ, વલસાડ પોલીસ સ્ટેશન માં શ્રી ચાવડા ના હસ્તે લગભગ ૧૧૦ ચકલી ઘર અને ૧૩૦ જેટલા પાણી ના કુંડા નું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.
Friday, May 17