નોવેલ કોરોના ને કારણે લોકો સંક્રમિત થતાં બચે તથા કોરોના વાયરસ ન વકરે તે માટે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કમર કસી છે. જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડની મદદથી શહેરના વિવિધ વિસ્તારમાં સેનેટાઇઝેશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે રાવપુરા વિસ્તાર બાદ આજે ન્યાયમંદિર થી માંડવીરોડ સહિતના આસપાસના વિસ્તારોમાં સેનેટાઇઝેશન ની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સ્થિર રહેવા પાછળ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા દવા છંટકાવ તથા સેનેટાઇઝેશન, હોમ ક્વોરન્ટાઈન અને સારવાર જેવી કામગીરી અસર કરી રહી છે સાથે સાથે લોકો પણ હવે જાગૃત છે કામગીરી વિના બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે તથા ચીજવસ્તુઓ ની ખરીદી, દવાઓ, દૂધ જેવી જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પોતે શિસ્તબદ્ધ સોશિયલ ડિસહટેન્સિંગ જાળવી રહ્યા છે.
Friday, May 17