વલસાડ શહેરના મધ્ય મા આવેલ ગણેશ હોલ ની ઇમારત માં પાછળ ના ભાગે છેલ્લા એક વર્ષ થી આર.વી સ્માર્ટ નામની શાળા ચાલી આવી છે. , સત્ય ન્યુઝ ને મળેલ દસ્તાવેજો પ્રમાણે આ શાળા ને આજદિન સુધી મંજૂરી મળી નથી, પરંતુ શાળા છેલ્લા એક વર્ષ થી કાર્યરત પણ થઈ ગઈ છે. મળતી માહિતીઓ પ્રમાણે આ શાળા ની જગ્યા પર પહેલા જય અંબે નામની શાળા ચાલતી હતી, પરંતુ મેનેજમેન્ટ દ્વારા શાળાને અહીંથી શિફ્ટ કરી દેવામાં આવી છે. ત્યારે શિક્ષણ મેં વેપાર બનાવી ચૂકેલ અને કાયદાને ખિસ્સા માં લઈને ફરનાર આર.વી સ્માર્ટ ના સંચાલક દ્વારા મેનેજમેન્ટ બદલાયા ની અરજી માત્ર જિલ્લા શિક્ષણ વિભાગ ને કરી છેલ્લા એક વર્ષ થી શાળા શરૂ કરી દીધી છે. ત્યારે જય અંબે ના સંચાલકો નું કહેવું છે આ શાળા તેઓની નથી એટલે ક્યાંક ને ક્યાંક આર.વી સ્માર્ટ શાળા ના સંચાલકો જય અંબે શાળા ના નામને વટાવી રહી હોય એમ પણ પ્રતીત થઈ રહ્યું છે. બીજી તરફ આર વી સ્માર્ટ શાળા ના સંચાલકો જો એમ કહેતા હોય કે મંજૂરી મળી જશે તો એ વાત મા પણ દમ જોવા નથી મળી રહ્યો . કારણ કે શાળા પાસે કોઇ મેદાનજ નથી. તો જિલ્લા શીક્ષણ અધિકારી પણ શહેર માં કોઈ આર.વી સ્માર્ટ નામની શાળાને મંજૂરી મળી ન હોવાનું જણાવી રહયા છે. તો જોવું એ રહ્યું કે આ શાળા છેલ્લા એક વર્ષ થી વગર મંજૂરીએ કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે??અને જો જય અંબે હોય તો નામ બદલીને શા માટે ચલાવવા માં આવી રહી છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે તાજેતર માંજ સુરત માં આવીજ એક માન્યતા વગર ની સ્કૂલ ને તાળા લાગી ગયા છે ત્યારે બાળકો ના ભવિષ્ય નું શુ થશે તેવા સવાલો વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામો આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Saturday, May 18