વલસાડ પંથક માં હિન્દૂ યુવા વાહીની દ્વારા પુલવામાં બ્લાસ્ટમાં શહીદ થયેલ જવાનો ને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ ગત વર્ષે 14 ફેબ્રુઆરી ના દિવસે પુલવામાં ભારતીય સેનાના જવાનો ની બસ પર થયેલ આતંકી હુમલા માં શાહિદ થયેલ જવાનો ને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વલસાડ સહિત પારડી માં પણ હિંદુ યુવા વાહીની સહિત નગરિકો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા પારડીમાં આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ અને કન્યા શાળા પારડી ના વિદ્યાર્થીઓ સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા બાદ પારડી ઓવર બ્રિજ નીચે હિન્દૂ યુવા વાહિની ના યુવાનો તથા યુવતીઓ ભેગા મળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને “શહીદો અમર રહો” નાં નારાઓ લગાવ્યા હતા. પારડી વિજ્ઞાન કોલેજ અને કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આદર અને સમ્માન વધે તે માટે કૉલેજ અને શાળાના ના પ્રશાસન સાથે મળી હિન્દૂ યુવા વાહીની દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સિવાય હિન્દુ યુવા વાહિની દ્વારા વલસાડ માં ઓન વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
Sunday, May 5