જૈનોના 24 માં તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદિવસ ની ઠેરઠેર લોકોએ પોતાના ઘરો, બાલ્કનીઓ માં ઉભા રહી ઉજવણી કરી હતી ત્યારે વલસાડ શહેર માં પણ જૈનો દ્વારા એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં મહાવીર સ્વામી ના જન્મદિવસ ની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઉજવાય છે પરંતુ હાલ કોરોના ની મહામારી ના કારણે તમામ દેરાસરો-ઉપાશ્રયો બંધ હોવાથી વલસાડ જૈન સમાજ દ્વારા એક અનોખી રીતે પોતાના દેવાધિદેવ ના જન્મદિન ઉજવવા નું નક્કી કરવામાં આવ્યુ હતું, વલસાડ માં જૈન સમાજ દ્વારા સવારે 9:00 કલાકે પોતાના ઘર ની બાલ્કનીમાં આવીને થાળી, ઘંટ, શંખ વગાડીને સામુહિક ઉજવણી કરવામા આવી હતી તમામ જૈન ભાઈ બહેનો એ સોસાયટીઓમાં આ રીતે ઉજવણી કરીને પ્રભુ મહાવીર સ્વામી ને વિશ્વને આ સંકટમાંથી ઉગારવા નો બતાવવા પ્રાર્થના કરી હતી અને સકળ વિશ્વનાકલ્યાણ , સર્વ જીવો ના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી.
Friday, May 17