ભારતના રાષ્ટ્રીય ફળ તરીકે જાણીતી એવી કેરી નો પાક આ વર્ષે છેલ્લા 10 વર્ષ બાદ ઓછો ઉતરવાનો ખેડૂતો સહીત તજજ્ઞો અંદાજ લગાવી રહ્યા છે વલસાડ જિલ્લા ની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 37000 હેક્ટરમાં હાફુસ કેસર લગંડો રાજાપુરી અમ્રપાલી જેવી અનેક જતો ની કેરી નું ઉત્પાદન થાય છે દર વર્ષે વલસાડ જિલ્લામાં હેક્ટર દીઠ 8 થી 9 ટન જેટલું કેરી નું ઉત્પાદન ખેડૂતો મેળવતા આવ્યા છે પરંતુ આ વખતે હવામાન માં થયેલા ફેરફાર ને કારણે 50 ટકા જેટલો કેરી નો પાક ઓછો ઉતારવાની ધરણા એ ખેડૂતોને ચિંતા માં મુક્યા છે
કેરી ના રસિયા માટે કેરી નો સ્વાદ ખાટો મીઠો નહિ પરંતુ કડવો જણાઈ રહ્યો છે અને માત્ર આ સીઝનમાં કેરી એ માલેતુજારો નું ફળ બની ને રહેશે તેવું કેરી ના રસિયા ઓ માની રહ્યા છે આ અંગે વલસાડ બાગાયત વિભાગ ના આધિકારી નીતિન ભાઈ પટેલ એ વિગતો આપી હતી કે આ વખતે વલસાડ જિલ્લામાં કેરી ના ઉત્પાદન માં માસ મોટું નુકશાન થયું છે કેરીના પાક માટે ચાર જેટલા પ્રકારમાં ફ્લાવરિંગ થાય છે જેમાં શરૂઆત નું ફ્લાવરિંગ નવેમ્બર ડિસેમ્બર માસ માં અને ત્યાર બાદ છેલ્લું ફ્લાવરિંગ ફેબ્રુઆરી માર્ચ માં થતું હોય છે જેમાં ફેબ્રુઆરી માર્ચ ના ફ્લાવરિંગ દરમ્યાન આંબે આવેલી મંજરી ઓ માં વાતવરણ માં વધેલા ભેજ ની અસર વર્તતા મંજરી માંથી જે ફળ થવું જોઈએ તે ફળ થયું નહિ અને પીળવણી થઇ ગઈ જેથી કેરી નું ઉત્પાદન આ વખતે મોટા પ્રમાણ માં ઘટ્યું છે
દક્ષિણ ગુજરાત માં આ વેલી આંબાવાડી ઓમાં દશ વર્ષ બાદ ઉભા થતા હવામાન ને કારણે કેરી નો પાક ખુબ જ ઓછો ઉતર્યો છે આ વર્ષે કેરી બેસે તે પહેલા ઓક્ટોબર નવેમ્બર 2017 ના ગાળા માં વરસાદ પાડવાની ઘટના એ પાક ને માસ મોટું નુકશાન પોહ્ચાડ્યું છે કેરી માટે અનુકૂળ વાતવરણ ખુબ જ મહત્વ નું પરિબળ માનવા માં આવે છે જયારે આ વખતે પેહલા વરસાદ અને ત્યારે બાદ ફબ્રુઆરી માર્ચ માસ માં ભેજ અને તાપમાન ના વધતા પ્રમાણ ને આંબા પાર બેસેલી મંજરીઓ ને કેરી ના ફળ સુધી પોહ્ચવા ના દેતા મોટાભાગ ની પાક ઘટ્યો છે જો કે વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તાર માં લાલ માટી વળી ડુંગરાળ જમીન ને કારણે હવામાન ની અસર ઓછી વર્તાઈ છે જેના કારણે આ વિસ્તાર માં આંબાવાડી ઓ માં કેરી નું ઉત્પાદન ખુબજ સારું છે પરંતુ વલસાડ ના અન્ય વિસ્તારમાં વાતવરણ માં થયેલા ફેરફારે કેરી ના પાક ને મસમોટું નુકશાન પોહ્ચાડ્યું છે
ઉલ્લેખનીય છે કે કેરીના સ્વાદના રસીયાઓ માટે આ વષેૅ માઠા સમાચાર છે દક્ષિણ ગુજરાત ની જાણીતી હાફૂસ કેરી નો પાક આ વર્ષે ખેડૂતો ને જ નહીં કેરી રસિયા ઓ ને પણ રડાવે એમ છે કારણ કે આ વર્ષે હવામાન ની અસર ને લીધે કેરી ના પાક ને ભારે નુકશાન પોહચ્યું છે કેરી માટે જે આંબે મંજરી ઓ આવે છે એના ઉપર થી કેરી નો પાક નો ખેડૂતો અંદાજ લાગવતા હોય છે પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ ના લીધે આવેલા વાતવરણના પલટો ને લીધે આંબે આવેલી મોટા ભાગ ની મંજરી ઓ કાળી થઈ ને ખરી પડી છે તો કેટલીક જગ્યા કે મંજરી ના સમયે (દીઘા) જેવા જંતુ પડી જતા આ વર્ષે કેરી ના ખેડૂતો ની હાલત દયનિય બની છે