વલસાડ માં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિતે સવાર થી જ શિવાલયો ભક્તોની ભીડ થી ઉભરાયા હતા અને હર હર મહાદેવ –જય ભોલેનાથ ના નારાથી શિવાલયો ગુંજી ઉઠયા હતા વલસાડના દરેક શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી વલસાડ ના શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર રાતા પારડી મંદિર તેમજ તમામ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી હતી જેમાં વલસાડના તિથલ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાશ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં અત્યાધુનિક લાઈટો તેમજ ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો હતો મંદિરના તેમજ મંડળના કાર્યકર્તાઓ આગલી રાતથી જ ભવ્ય તૈયારીઓ કરી હતી અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દિવસ દરમિયાન ચાર ની પહોરની આરતી બપોરે આરતી બાદ શીરાનો પ્રસાદ તેમજ ભાંગ પ્રસાદ વિતરણ કરવામાં આવી હતી ત્યારબાદ રાત્રિ દરમિયાન ભસ્મ આરતી કરી ભગવાન શિવની આરાધના અને પૂજા કરવમાં આવી હતી અને ભક્તો એ ધન્યતા અનુભવી હતી.
Saturday, May 18