વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમા વિપક્ષના વિરોધ સંદર્ભે યોજેલા પ્રતિક ઉપવાસના કાર્યક્રમને વલસાડ જિલ્લા ભાજપના કર્યકરોએ પણ સમર્થન આપ્યુ હતુ. વલસાડના ગાંધી લાયબ્રેરી ચોક ખાતે વલસાડ જિલ્લાના ભાજપના સાંસદ, ધારાસભ્યો, કાર્યકરો સહીત તમામે એક દિવસીય પ્રતિક ઉપવાસને સમર્થન આપ્યુ હતુ. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ડૉ. કે. સી. પટેલ, માજી વન પર્યાવરણ મંત્રી મંગુભાઇએ કાર્યકરોને સંબોધન કરી ભાજપના વિકાસની ગાથા વર્ણવી હતી અને ઉપસ્થિત તમામ કાર્યકરોનો સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. જો કે વલસાડ ભાજપના આગેવાનોએ જિલ્લાના તમામ ભાજપના કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લેખિત મૌખિક સુચનાઓ, સોશ્યલ મિડીયાના માધ્યમથી પણ ખાસ આહવાન કર્યુ હતુ પરંતુ તેમ છતા વલસાડ ખાતે કાર્યકરો ખૂબ જ ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકંદરે નબળો પ્રતિસાદ મળ્યો હોય તેવુ પ્રતિક ધરણાના સભા સ્થળે જોવા મળ્યુ હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.