ગુલઝાર ખાન દ્વારા :- રાજ્યમાં મોટા મેટ્રો શહેરોની તુલનામાં હવે વલસાડ જાણે કે હરીફાઈમાં ઉતર્યું હોય તેમ નવા 337 કોરોના કેસ નોંધાતા અહીં ના આરોગ્ય અને વહીવટી તંત્રની સબ સલામતની પોલ ખુલી ગઈ છે અને દરેક જિલ્લા વહીવટી તંત્ર પોતાની રીતે નિયંત્રણ લાદવા સ્વતંત્ર હોવાછતાં તંત્ર સિરિયસન થતા હવે વલસાડ માં સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે.કારણ કે મેટ્રો શહેરની સરખામણીમાં વલસાડ ખોબા જેવડું હોય સમગ્ર રાજ્યમાં વલસાડમાં કોરોના બૉમ્બ ફાટ્યો હોવાનું સામે આવ્યું છે.જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે જે દર્શાવે છે કે તંત્ર દ્વારા સમયસર યોગ્ય સમયે પગલાં ભરવામાં નથી આવ્યા.
કારણ કે બીજી લહેર સમાપ્ત થઈ જતા તંત્ર વાહકો ચિંતામુક્ત બન્યા અને સંભવિત ત્રીજી લહેર ને ખાળવા યોગ્ય સમયે કામગીરી કરવામાં ઉણા ઉતરતા હવે સ્થિતિ કાબુ બહાર જતી જણાઈ રહી છે, હવે જે ગંભીરતા સામે આવી રહી છે તે ચોંકાવનારી છે.વલસાડ જિલ્લા માં આજે ગુરુવારે 337 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓનો સૌથી મોટો આંકડો સામે આવતાં હડકંપ મચી ગયો છે આજના કોરોના પોઝીટિવ માં વલસાડ માં 177 અને વાપી માં 108 નો આંકડો છે જ્યારે પારડી 17,ઉમરગામ 30,ધરમપુર 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિ નું મોત થયું છે.
આટલી મોટી સંખ્યા અગાઉ પ્રથમ અને બીજી લહેરના દિવસોમાં ક્યારેય જોવા મળી નથી તે હવે ત્રીજી લહેર માં દેખાઈ રહી છે.વલસાડ જિલ્લામાં જે કેસ નોંધાયા છે તે આંકડો ચોંકાવનારો છે, તેજ ગતિથી વધી રહેલો કોરોના નો ગ્રાફ આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર માટે હવે ચિંતાનો વિષય બની રહ્યો છે. અને જિલ્લામાં વધી રહેલા સંક્રમણને કાબૂમાં કરવા છેલ્લી ઘડી એ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આરોગ્ય વિભાગ માનવું છે કે કોરોનાના કેસોને વહેલી તકે શોધી લેવામાં આવે અને તેમની તકેદારી રાખવામાં આવે અને સારવાર વહેલી કરવામાં આવે તો સંક્રમણ ઘટી શકે છે.
આથી ઘર ઘર પહોંચી અને આરોગ્યની ટીમો ટેસ્ટિંગ કરી રહી છેઅને ટેસ્ટિંગની સંખ્યા વધતા કેસોની સંખ્યા પણ વધી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પણ મુદ્દા ની વાત તો એ છે કે વલસાડ જિલ્લા માં કોરોના વિસ્ફોટ થઈ ચૂક્યો છે ત્યારે હવે જો તાત્કાલિક પગલાં ભરવામાં અહીં આવે અને નિયંત્રણ અમલ માં નહિ આવે તો કોરોના વધુ સ્પ્રેડ થતા હોસ્પિટલમાં જગ્યા પણ નહીં મળે તેવી સ્થિતિ ઉભી થતા વાર નહિ લાગે કારણકે જાણકારો ફેબ્રુઆરી માં કોરોના પીક ડબલ થઈ જવાની શક્યતા વ્યક્ત કરી રહયા છે ત્યારે નાનકડા વલસાડ ની સ્થિતિ કેવી હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ થઈ જશે અને ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા જેવો ઘાટ સર્જાઈ શકે છે.