નિસર્ગ વાવાઝોડું વલસાડ જિલ્લામાં ત્રાટકવાનું હોય વહીવટીતંત્ર એલર્ટના મોડમાં છે ત્યાં જિલ્લા કલેકટર આર આર રાવલે એક આગાહી પત્રક બાર પડ્યો છે. નિસર્ગ વાવાઝોડું વધું સક્રિય બન્યું છે અને તારીખ 3-06-2020 ના રોજ વલસાડ સાંજે આવે એવી શક્યતા છે જિલ્લા કલેકટરના જરૂરી સુચનો આ પ્રમાણે છે.
- સમગ્ર વલસાડ જિલ્લામાં તા 3/6/2020 ના રોજ તમામ ઉદ્યોગોએ બધા કર્મચારીઓ અને કામદારોને સ્વૈચ્છિક સાપ્તાહિક રજા આપવાની રહેશે અને ઉધોગોને સ્વૈચ્છિક બંધ રાખવાનો અનુરોધ કરવામાં આવ્યું છે.
- કોઈપણ જાતના કેમિકલ અથવા ગેસને સંગ્રહિત કરતી ટાંકીઓને બરાબર બંધ કરવી.
- બધી ટાંકીઓ એર ટાઈટ રીતે બંધ કરવાની રહેશે અને તેને અલગ સ્ટોરેજ એરિયામાં રાખવાની રહેશે અને કેમિકલ બહાર ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પુરતી સંગ્રહ સુવિધા અને કંપની સંચાલકોએ તકેદારી રાખવાની રહેશે.
- કોઇપણ સિલિન્ડરો ખુલ્લી જગ્યામાં રાખવા નહી, અને તે યોગ્ય સંગ્રહ સ્થાન વિસ્તારમાં યોગ્ય રીતે સંગ્રહિત
કરવાના રહેશે. - બધી કાર અને વાહનોને હેન્ડ બ્રેકની સ્થિતિમાં મૂકવાના રહેશે અને વ્હીલ લોક થવું જોઇએ અને કારને ખુલ્લી જગ્યામાં પાર્ક કરી શકાશે નહી તેની તકેદારી રાખવાની રહેશે.
- વલસાડ જિલ્લામાં આવેલ જોખમી રસાયણોનો ઉપયોગ કરતી તમામ ફેક્ટરીઓ સલામતીના પાસાઓની અને સાવચેતી માટે લીધેલ પગલા અંગેની જાણ નાયબ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ વલસાડને કરવાની રહેશે.