વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવતા વિવિધ તહેવારો તથા તેમજ કાયદો અને વ્યવસ્થાની
પરિસ્થિતિને ધ્યાને લેતાં જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક
જિલ્લા મેજીસ્ટ્રેટ કમલેશ બોર્ડરએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી
તા.૧૭/૦૧/૨૦૧૯ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા
કરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ લગ્નના વરઘોડા, સ્મશાન
યાત્રા, એસટી. બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માગતા, મંદિર મસ્જિદ કે દેવળમાં પ્રાર્થના માટે જતી
અગર સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનાફાઇડ વ્યકિત તેમજ સરકાર દ્વારા
આયોજિત કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ આદેશોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરાશે.
[jeg_weather location=”” auto_location=”false” count=”4″ item=”show”]