ગુજરાત સરકાર દ્રારા ખેતીની જમીનને બીન-ખેતીમાં રૂપાંતર કરતી વખતે બીન ખેતીના હુકમમાં સમય મર્યાદા દૂર કરતા હાઇ કોર્ટના હુકમની જાણ થવા બાબત માનનીય ક્લેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ.
હકીકત એવી બની છે કે બીન-ખેતી થયેલી જમીનમાં બાંધકામ શરૂ કરવા લોકલ ઓથોરીટી પાસેથી પ્લાન પાસ કરાવી રજા ચીઠ્ઠી મેળવવાની હોય છે. જે રજા ચીઠ્ઠી મેળવવા બે-બે વર્ષ લાગી જતાં બીન-ખેતી હુકમ મુજબ છ માસમાં બાંધકામ શરૂન થવાથી હુકમનો ભંગ થાય છે. જેને શરત ભંગની કાર્યવાહી માંથી પસાર થઇને મસ મોટો દંડ ભરવો પડે છે જેના કારણે અરજદારનો સમય અને શક્તિ વેડફાય છે.
આ બધી પરીસ્થિતીને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે કેસ નં. C-SCA-16620-2016J1ના આપેલ ચુકાદા મુજબ બાંધકામ છ માસમાં શરૂ કરી 3 વર્ષમા પૂરૂ કરવાની શરતને રદ કરી છે. જેની જાણ દરેક જીલ્લાના ક્લેક્ટરને જાણ કરવાનો હુકમમાં ઉલ્લેખ છે જે માટે સરકારને અમોએ દરેક જીલ્લા કચેરીઓમાં એક પરીપત્ર કરી આવા કિસ્સાએમાં શરત ભંગ નહી કરવા વિનંતી કરતો પત્ર પણ પાઠવેલ છે
જેથી, આપણા જીલ્લાના આવા કિસ્સાઓમાં શરત ભંગ નહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.