વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સી.આર.ખરસાણે વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા
નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, વલસાડ, તથા જિલ્લાના તમામ તાલુકા સેવા સદનની બહાર કે જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૧૯/૦૬/૨૦૧૯ સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિત/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિતઓને, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્સામાં લાગુ પડશે નહીં.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.