દુનિયાભરમાં વ્યાપી ગયેલા ભયાનક વાયરસ કોરોના ને હરાવવા માટે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમગ્ર દેશવાસીઓ ને 22 મી ને રવિવારે આજે જનતા કરફ્યુ માં જોડાવા કરેલી અપીલે જાદુઈ અસર કરી છે અને દેશભરમાં માં મોટાભાગ ના શહેર અને કસ્બાઓ બંધ નજરે પડ્યા હતા ,દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ લોકો સ્વયંભૂ બંધ માં જોડાયા હતા જેથી સતત ધમધમતા રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા કોરોના વાયરસ ને આ રીતેજ જલ્દીથી ખતમ કરી શકતો હોવાથી લોકોને સહયોગ ની અપીલ કરાઈ હતી જેમાં લોકો સ્વેચ્છા એ જોડાયા હતા , વલસાડ ના મુખ્ય બજારો , રેલવે , એસટી , તેમજ જાહેર જગ્યાઓ સુની થઈ ગઈ હતી અને જાણે જનજીવન થંભી ગયા નું જણાઈ રહ્યું હતું બજારો માં દુકાનો , ગલ્લા , બંધ હતા તેમજ તિથલ બીચ પણ સુમસાન નજરે પડ્યો હતો સ્થાનિક તંત્ર તેમજ પોલીસે સ્ટેન્ડબાય સ્થિતિ માં જણાયા હતા આમ ગુજરાત ના છેવાડા ના નાનકડા વલસાડ માં લોકોએ સરકાર ની જાહેર અપીલ ને માન આપી પોતાનો સહયોગ પ્રદાન કર્યો હતો.
Friday, May 17