વલસાડ: વલસાડના જવેલર્સ ના વેપારીપર ગિરિરાજ હોટલ નજીક જીવલેણ હુમલો કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ ના પંચવટી સોસાયટી માં રહેતા અને વલસાડ ખાતે જવેલર્સ ના વેપારી જીતુભાઈ જીવાભાઈ ચૌધરી રહે. પંચતી સોસાયટી મોગરવાડી નાઓ આજરોજ રાત્રે ૯:૦૦ વાગ્યાના સુમારે સેલવાસ થી ચાંદી ના ઘરેણાં ની ઉઘરાણી કરી ને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમ્યાન અબ્રામા હાઇવે પર ગિરિરાજ હોટલ નજીક એક સેન્ટ્રો કાર મા ૪ અજાણ્યા ઈસમો આવી તેમની ફોર્ચુનર કાર નંબર જી.જે.૧૫ સીબી. ૭૯૩૭ પર હુમલો કરી ગાડીના કાંચ તોડી નાખ્યા હતા. અને લૂંટ નો પ્રયાસ કર્યો હતો. તે અરશા મા નજીક મા આવેલી ગિરિરાજ હોટલ ના સંચાલકો દોડી આવતા લૂંટારુઓ ઘટના સ્થળે થી ભાગી છૂટ્યા હતા. આ બનાવ ને પગલે વલસાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગળની તપાસ હાથ ધરી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.