શંકર તળાવ ગામ ની હાઇવે ટચ વિવાદિત જગ્યા ઉપર હોટલ બાંધકામ અને ધંધા ની પરમિશન અને તંત્ર ખુલાસો કરે !
વલસાડ હાઇવે ઉપર શંકર તળાવ ગામ પાસે ની ઔદ્યોગિક હેતુ વાળી જમીન અંગે નો મુદ્દો નામદાર કોર્ટ માં હોવાછતાં અહીં હોટલો સહિત ના ધંધાકીય હેતુ નો રાફડો ફાટતાં અને કોઈપણ રોકટોક વગર બધું લોલમલોલ ચાલતા કાયદા અને જોગવાઈઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.
શંકર તળાવ ગામે હાઇવે ટચ બાલાજી વેફર્સ ની બાજુની સોનાના લગડી જેવી જમીન યેનકેન પ્રકારે સસ્તા માં ખરીદાઈ હોવાની ચર્ચા વચ્ચે કચ્છી પરિવાર માજ કલેશ ચાલી રહ્યો છે.
વલસાડ હાઇવે ઉપર આવેલી આ વિવાદિત જગ્યા મામલે ભારે વિવાદ ઉઠી રહ્યો છે,આ જગ્યા વલસાડ ના એક રાજકારણ સાથે ઘરોબો ધરાવતા એક નેતા એ ખરીદી છે પરંતુ આ મામલો હવે નામદાર કોર્ટમાં પહોંચ્યો છે, જોકે અહીં એક વાત સ્પષ્ટ છે કે કાયદા ના નિયમો અહીં જાળવાયા નથી. અને તે મુદ્દો જ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સુરેશ ભગત ના મર્ડર બાદ મુંબઈ ના વરલી વિસ્તાર માં રહેતા તેમના પરિવાર માં આ બનાવ ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો મૂળ કચ્છી પરિવાર ની આ જગ્યા અને તેના કાવાદાવા અંગે કોર્ટ માં શુ ચુકાદો આવે છે તેતો સમય જ કહેશે પરંતુ હાલ માં તો કોર્ટની સીધી અવગણના કરનાર ટોળકી સામે કયો ડિપાર્ટમેન્ટ પગલાં ભરે છે અને તપાસ ના આદેશ આપે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.