વલસાડ: શહેર ગુંદલાવ ખેરગામ પંથકની પ્રજાના અવન જાવન માટે વલસાદનું છીપવાડ રેલવે ગરનાળુ અતિ મહત્વનું છે. છીપવાડમાં રસ્તા અને રેલવે ગરનાળા ક્રમાંક ૩૩૦ – હજારોની વસ્તીના અવર-જવર માટે ભારે ઉપયોગી છે વલસાડનું છીપવાડ રેલવે ગરનાળુ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા વિના જ ૭૫ દિવસ આ રેલવે ગરનાળુ અચાનક બંધ કરવાની જાહેરાત કરી અચરેલી રેલ્વેતંત્રની જોહુકમી સામે જન આક્રોશ ફેલાયો છે.વલસાડ શહેરની એકમાત્ર સ્મશાનભૂમિના ડાઘુઓને પણ પારાવાર મુશ્કેલી થશે,જે બંનેનું વિસ્તરણકામ ચાલે છે.આઈઆરકોન કંપનીએ નગરપાલિકાના સીઓને તા.૧૩/૧૧થી પત્ર લખી તા.૨૦/૧૧/૧૯ થી ૭૫ દિવસ માટે વિસ્તરણ કામ અર્થે સંપૂર્ણ અવરજવર બંધ કરવા લેખિત જાણ કરી છે જેની નકલ કલેકટરશ્રી વલસાડને પણ આપવામાં આવી છે.
આ પત્રના વલસાડ તાલુકા, ગુંદલાવ, ખેરગામ તાલુકામાં ભારે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે કેમકે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી એસ.ટી.બસ સહિતના વાહનોએ જો વિસ્તરણ કામ શરૂ થાય તો વાયા કુંડી ફાટક લીલાપુર કે વાયા ધરમપુર ચોકડી રેલવે ઓવર બ્રિજ થઇને ત્રણ માસ માટે ચકરાવે લાંબા થવું પડશે, સમય અને બળતણનો ભારે બગાડ કરવો પડશે. IRCON ઇન્ટરનેશનલ લિમિટેડનુ કાર્યાલય અમલસાડ ખાતે છે જેણે પત્રમાં એવું લખ્યું છે કે છિપવાડનું ગરનાળુ માત્ર પાણી જવા માટે છે, પરંતુ લોકો તેનો અવર-જવર માટે ઉપયોગ કરે છે, જે વાત સત્યથી તદ્દન વેગળી છે. ૧૯૬૦મા કડૈયા-ઔરંગા નદીનો પાકો પુલ બન્યો ત્યારથી તમામ વાહનોની અવરજવર આ રેલવે અને રસ્તાના ગરનાળામાંથી થતી આવી છે, આ રેલવે ગરનાળા કરતા સાંકડા ગરનાળા ક્રમાંક ૩૩૧ અને ૩૩૩ માંથી પણ લોકોની અવરજવર જ થાય છે, પારડી સાંઢપોર અને વેજલપુર ની જનતા માટે તે બનેલા છે,
વળી વલસાડ રેલવે એ ગંદા પાણી નિકાલ માટે રેલવે ટ્રેકની પૂર્વમાં જે ગટર બનાવેલી તે ૩૩૦માં દક્ષિણ ભાગમાંથી અલગ વહેણ ધરાવે છે જેમાં વરસાદી પાણીનો પણ નિકાલ થાય છે.
ચોમાસામાં ભારે બિસ્માર થયેલો છે તેને નગરપાલિકા, માર્ગ-મકાન વિભાગ તાત્કાલિક સમારકામ કરાવી પાકો ડામરનો કરાવે તો કમ સે કમ નાનાવાહનો તેનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગ કરી શકે. એ જ રીતે ગરનાળા ક્રમાંક ૩૩૩ જે ગુંદલાવ ચોકડી વેજલપુર લીલાપુરને જોડે છે એ રસ્તાની હાલત પણ બિસ્માર છે. તેનુ તાત્કાલિક સમારકામ કરાવી રેલવેના ગરનાળામાં રસ્તો બનાવી લીલાપોર પાસે પૂર્વમાં દક્ષિણે શહેરમાં જવા સીધું ચઢાણ બનાવવામાં આવે તોપણ ગુંદલાવ ચોકડીથી વલસાડ આવનારા માટે અત્યંત ઉપયોગી વૈકલ્પિક વ્યવસ્થા થશે. આઈ આર કોન તથા નગરપાલિકા ત્રણ મહિના માટે લોકોને દુઃખી કરશે, વલસાડ રેલવે ઓવરબ્રિજની ટ્રાફિક સમસ્યામાં ભરપૂર વધારો થશે.
વિસ્તરણકામ પ્રસંગે વલસાડ શહેર તથા ખેરગામ વલસાડ તાલુકાની જાહેર જનતા બનશે અને ત્રણ માસથી વધુ દુઃખી થશે.