ગુજરાત માં કોરોના ની સ્થિતિ વિકટ બનતા તા.22 મી ના રોજ જનતા કરફ્યુ અને ત્યારબાદ 25 મી સુધી ધંધા રોજગાર બંધ રાખવા સહિત લોકો ને કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરાઈ છે અને પોલીસ ખાતા ને પણ તાકીદ કરાઈ છે કે લોકો ને કામ વગર બહાર નીકળતા અટકાવી 144 ની કલમ નો અમલ કરાવવો પરંતુ વલસાડ માં આજે આ ગાઈડલાઈન નો ભંગ જણાયો હતો અને લોકો સામાન્ય દિવસો ની જેમ બિન્દાસ ઘર બહાર નીકળી ગયા હતા. સરકાર ના આદેશ બાદ પણ વલસાડ માં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જનતા ને આ અંગે જાગૃત નહિ કરાતા વલસાડ માં આજથી જ બજારો ધમધમતી થઈ જતા તે જોઇ એક જાગૃત મીડિયા તરીકે સત્યડે દ્વારા આ બાબતે નગરપાલિકા નું ધ્યાન દોરતા સફાળા જાગેલા તંત્ર વાહકો એ તરત જ રીક્ષા ફેરવી વલસાડ ની જનતા ને તા.25 મી સુધી ના લોકોડાઉન અંગે વાકેફ કરી સચેત કરાયા હતા. વલસાડ નું તંત્ર આ મુદ્દે સરકાર ની ગાઈડ લાઈન મુજબ લોકો ને જાગૃત કરવામાં નિષ્ફળ ગયા નું સપાટી ઉપર આવી રહ્યું છે કારણ કે 25 મી સુધી લોકડાઉન સ્થિતિ યથાવત રાખવા સરકારી સૂચના નો અહીં અમલ નહિ થતા ખાસ રીક્ષા ના માધ્યમ થી લોકો ને સાવચેત કરવા પડ્યા હતા.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.