વલસાડ શહેર માં લોકડાઉન સ્થિતિ થી રોડ પર રહેતા ભિક્ષુકો અને ગરીબ પરિવારો દુકાનો અને મંદિરો બંધ હોવાથી ભૂખ્યા રહેવાનો વારો આવતા આ વાત વલસાડ પોલીસ ના ધ્યાને આવતા વલસાડ સિટી પોલીસ મથક ના પીઆઈ ભટ્ટ અને તેમની ટીમે શહેર માં ભૂખ્યા લોકો ને ભોજન પૂરું પાડી માનવતા મહેકાવી હતી.તેઓ સાથે પત્રકારો પણ જોડાયા હતા અને વલસાડ માં હંમેશા સેવા માટે આગળ રહેવા જાણીતા બનેલા સિનિયર પત્રકાર ઉત્પલ ભાઈ દેસાઈ પણ સેવાકાર્ય માં જોડાયા હતા અને શહેર માં રખડતા ગરીબ ભિક્ષુકોને સેનેટાઈઝર થી હાથ વોશ કરાવી ભોજનની વ્યવસ્થા તેમજ પાણીની બોટલો આપી રહી છે વલસાડના પીઆઈ ભટ્ટ ના જણાવ્યા અનુસાર વલસાડમાં સ્ટેડિયમ રોડ હાલર રોડ સ્ટેશન રોડ રોડ અને ઘણા એવા વિસ્તારમાં ભિક્ષુકો ખાવાપીવા માટે એક પણ દુકાન ચાલુ ન હોવાથી એક પણ હોટલ ચાલુ નહિ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા હોવાની જાણ થતાં જ વલસાડ સીટી પોલીસ દ્વારા ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ લોકડાઉન ની ફરજ સાથેસાથે પોલીસે સેવાકીય પ્રવૃત્તિ ને પણ એટલુંજ ધ્યાન આપી માનવતા મહેકવતા તેઓ ની આ પ્રવૃત્તિ ને લોકો એ બિરદાવી હતી.
Friday, May 17