ઇમરજન્સી સમયે એકેડેમી માં 200થિ વધુ વિદ્યાર્થીઓ માટે બચાવ માટે કોઈ સાધન નથી
સુરત સરથાણા ખાતે ગઈ કાલે થયેલ અગ્નિકાંડ અને 23જેટલા માસૂમ વિદ્યાર્થીઓ ના કરુણ મૃત્યુના સમાચારો વચ્ચે વલસાડ શહેર ની મુખ્ય પોસ્ટ ઓફીસ સામે આવેલ વાઇફાઇ એકેડમી વાળા બિલ્ડીંગ ના નીચે હોટલોની ભઠ્ઠી માં આગ ચાલે છે. . અને બિલ્ડીંગ માં ચઢવા માટે એકજ સાંકળો દાદર છે જેના બીજા માળે વાઇફાઇ એકેડમી માં જી.નિટ વગેરે અભ્યાસ નું કોચિંગ કરવામાં આવે છે.. કે જેનાથી મેડિકલ અને એન્જીનીયરીગ વગેરે ના એડમિશન માટે ના કોચિંગ કલાસ ચાલે છે.
આ વાઇફાઇ કોચિંગ કલાસ ની સત્ય ન્યુઝ ટિમ ના રિપોર્ટરે મુલાકાત લઈ આ કોચિંગ કલાસ ના સંચાલક ને પ્રશ્ન પૂછતાં એણે મુખ્ય વ્યક્તિ હાજર નથી. અને હાલે કોચિંગ કલાસ બંધ છે…. એવો જવાબ મળ્યો હતો. પરંતુ સુરત ની ઘટના નો બોધપાઠ લઈ વલસાડ,વાપી,પારડી ધરમપુર, વગેરે શહેરો માં આ પ્રકાર ના દર્દનાક અકસ્માતો ન થાય તે માટે જરૂરી સાવચેતી સરકાર ના સર્વે વિભાગ લે.. તે… જરૂરી છે.