દેશના PM મોદી ની 5 એપ્રિલ ના રોજ રાત્રે 9 કલાકે દિવા પ્રગટાવવા ની અપીલનું વલસાડ ની જનતા એ સ્વયંભૂ પાલન કર્યું હતું અને આજરોજ રવિવારે રાત્રે નવ વાગ્યા ના ટકોરે લોકો પોતાના ઘર ની લાઈટ બંધ કરી પોતાના ઘરની બાલ્કનીઓ અને ગેલેરીમા આવી ગયા હતા અને દીવા પ્રગટાવવા સાથે મોબાઇલ ની લાઈટ તેમજ ટોર્ચ ચાલુ કરી ભારત માતા કી જય અને વંદે માતરમ નારા લગાવ્યા હતા આ સામૂહિક નારાઓ થી વલસાડ ગુંજી ઉઠ્યું હતું આ ખાસ અવસરે વલસાડ ના લોકપ્રિય સત્ય ન્યૂઝ અને સત્યડે ની ટીમ ના પ્રતિનિધિઓ આખા વલસાડ માં જુદીજુદી જગ્યાએ ગોઠવાઈ ગયા હતા અને લેટેસ્ટ કેમેરા અને ડ્રોન કેમેરાના મારફતે દરેક સોસાયટીઓના વિડીયો કેપ્ચર કર્યા હતા અને રાષ્ટ્રભક્તિ નો માહોલ કેમેરામાં કેદ કરી ગુજરાતભરમાં પહોંચાડ્યો હતો. આખું વલસાડ કોરોના ના જંગ સામે લડવા એકતા બતાવી રહ્યું હતું ત્યારે વલસાડથી જાણીતી અભિનેત્રી પૂજા ઝવેરી એ પણ પોતાન ઘરની લાઈટો બંધ કરી હતી અને બાલ્કનીમાં આવી દિવા પ્રગટાવ્યા હતા વલસાડ શહેરમાં સત્ય મીડિયા હાઉસ ની કુલ પાંચ ટીમો એ અલગ-અલગ સ્થળોએ ફરી દરેક વિસ્તાર ની સોસાયટીઓમાં ફરી ખાસ કવરેજ કર્યું હતું અને એક જવાબદાર મીડિયા ની ભૂમિકા અદા કરી હતી , સમગ્ર વલસાડ માં કોરોના ની મહામારી માં પણ એક ઉત્સવ નો માહોલ જોવા મળ્યો હતો અને લોકો માં ગજબ ની એકતા જોવા મળી હતી.
Friday, May 17