વલસાડમાં સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીને ખેંચ આવતા મોત નિપજ્યુ છે. સ્કૂલમાં PTના લેક્ચરમાં વિદ્યાર્થિનીને ખેંચ આવી હતી. વિદ્યાર્થિનીને ખેંચ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. શાળામાં વિદ્યાર્થિનીના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. સરસ્વતિ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળામાં જ્યારે શારીરિક શિક્ષણના વિષયમાં હાજરી આપવા માટે મેદાન પર જઇ રહી હતી ત્યારે તેમને અચાનક જ ખેંચ આવી ગઇ હતી અને તેને સારવાર અર્થે શાળા નજીકની સાફી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થિની કુદરત સામે હારી ગઇ હતી અને સારવાર દરમિયાન જ મોત થયુ હતુ.જેથી વિદ્યાર્થિનીના પરિવારજનો તરત જ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.