વાપી રેલવે કોલોની માં આવેલ શીતળા માતા ના મંદિરે આજે પૂજા વિધિબાદ ભાવિકો દ્વારા તેમની ભક્તિ નું અનોખું સ્વરૂપ દર્શાવતી એક ભવ્ય શોભાયાત્રા વાપી ના સિદ્ધનાથ મહાદેવ મંદિર થી નીકળી હતી
દક્ષિણ ભારત માં શીતળા માતા ની ખૂબ ભક્તિ ભાવ પૂર્વક પૂજા કરવામાં આવે છે અને મહિલાઓ તેમાં ખૂબ આસ્થા ધરાવે છે વળી તેમનું એક ભવ્ય મંદિર વાપીમાં વસવાટ કરતા દક્ષિણ ભારતના લોકો દ્વારા બનાવવા માં આવ્યું છે જ્યાં મંદિરે દર વર્ષે ત્રીજના દિવસે એક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે જેમાં મંદિરે બાધા અને આખડી રાખનાર લોકોની માનતા પુરી થતા તેઓ ના દ્વારા માતા પ્રત્યેની આસ્થા સ્વરૂપે પોતાના શરીર માં થી સળિયા પસાર કરી તેમની અનોખી ભક્તિ સાથે શોભાયત્રા માં સામેલ થાય છે જેમને બાળકો ના થતા હોય એવી વિશેષ મહિલાઓ આ શોભાયત્રામાં.જોડાય છે આજે સિદ્ધનાથ મંદિર વાપી થી નીકળેલી શોભાયાત્રા વાપી દેસાઈ વાડ ,વાપી સરદાર ચોક મેઈન બજાર થઈ ને ઝંડા ચોક થઈ રેલવે કોલોનીમાં આવેલા શીતળા માતા ના મંદિરે પૂર્ણ થઈ હતી જેમાં દક્ષિણ ભારત ની પરંપરા મુજબ તેમના પરંપરાગત વાદ્ય સાથે આ શોભાયાત્રા નીકળી હતી અનેક મહિલાઓ એ પોતાના ગાલ ની આરપાર વીંધેલા સળિયા ને જોઈ જોનારા પણ મોમાં આંગળા નાખી ગયા હતા જોકે દક્ષિણ ભારત માં રહેતા લોકો માં તે એક આસ્થા નું પ્રતીક માનવામાં આવે છે અનેક મહિલાઓ પોતાના ગાલની આરપાર સળિયો વિધાવીને તેમની માનતા પૂર્ણ કરી શોભાયાત્રા માં જોડાઈ હતી..