વાપીમા ૧૮મી એપ્રિલના દિવસે જૈન સમાજના ૬૦ તપસ્વીઓના ૪૦૦ દિવસના સામૂહિક પારણનો ભવ્ય પ્રસંગ ઉજવાશે જેમા વાપી તેમજ આસપાસના ૧૦ હજાર જેટલા જૈન સમાજના લોકો ઉપસ્થિત રહેશે
આ વર્ષિતપના અનેરા મહત્વને ધ્યાને રાખી વાપીના ૬૦ જેટલા ૧૫ વર્ષના યુવક યુવતીઓ, વયોવૃદ્ધ જૈન પુરુષો મહિલાઓએ કરેલા ૪૦૦ દિવસના પારણાની વાપી ખાતે ભવ્ય ઉજવણી કરાશે જેમા એક સપ્તાહ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ જીઆઈડીસીના પ્રમુખ કિરીટભાઇ દોષી, જૈન સમાજના અગ્રણી દેવેન્દ્ર જૈનએ વિગતો આપી હતી વધુમા તેઓએ વિગતો આપી હતી કે તારીખ ૧૬મી એપ્રિલે વર્ધમાન શકસ્તવ મહાઅભિષેક, ૧૭મી એપ્રિલે આરાધકો તપસ્વીઓ સાથે શોભાયાત્રા, નવકારશી, જમણવારનું આયોજન કરવામાં આવ્યુ છે શોભાયાત્રામા હાથી, ઘોડાની શણગારેલી બગીઓમા તપસ્વીઓ, જૈન મુનિઓ સહીત જૈનશ્રેષ્ઠીઓઓ બિરાજમાન થશે અને ૧૮મી એપ્રિલે શેરડીના રસ વડે પારણા કરાવાશે તો સાથે ઉપસ્થિત જૈન સમાજ માટે જમણવારનું આયોજન છે
આ અંગે શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ જીઆઇડીસી વાપી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમા પરમપૂજ્ય જૈનમુનિ પન્યાસજી પરમદર્શન વિજયજી મહારાજજીએ વર્ષીતપના પારણા અંગે વિશેષ પ્રકાશ પાડી શા માટે જૈન સમાજમા વર્ષીતપનું મહત્વ છે તે વિશે જણાવ્યું હતુ કે આ પ્રસંગ વાપીના જૈન સમાજ માટે ઉત્સવ સમાન છે જૈન સમાજના ભગવાન આદિનાથે ૪૦૦ દિવસના વર્ષીતપ કર્યા હતા અને તેમના પપૌત્ર રાજા શ્રેયાંસ દ્વારા તેમને ૧૦૮ ઘડા શેરડીના રસ વડે પારણા કરાવેલા
જીવનમાં બનતી દરેક ઘટના પાછળ કર્મની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે ભગવાન આદિનાથે (રાજકુમાર ૠષભદેવ) કર્મને આધિન ૪૦૦ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા વર્ષી તપ એટલે એક વર્ષનું તપ છે એક ખેડૂત તેમના ખેતરમા અનાજની વાવણી કરી રહ્યો હતો પરંતુ જેવુ અનાજ ખેતરમા પડે એટલે ખેડૂતોના બળદ તે ખાઇ જતા હતા ખેડૂત બળદને અતિઆહારથી રોકવા મારી રહ્યો હતો ત્યારે રાજકુમાર રૂપે રહેલા ઋષભદેવે તેમને અટકાવી પશુને મારવાને બદલે તેમના મોઢા પર દોરીનું મોસળીયું બાધવાની સલાહ આપે છે જેનાથી બળદ ક્ષુધાથી પીડાય નહી પરંતુ ખેડૂત બળદને મોસળીયુ બાંધી ભૂલી જાય છે અને તે દમ્યાન પરગામથી પરત ફરેલા રાજકુમાર ક્ષુધાથી પીડાતા બળદને જોઇ દુખ વ્યક્ત કરે છે અને તેનુ મોસળીયું છોડે છે. તેટલા સમયમા બળદથી નિકળેલા ૪૦૦ નિ:સાસા પ્રભુના ભોગાંતરાય કર્મ બંધનનું કારણ બને છે અને પ્રભુ ૪૦૦ દિનના નિર્જલા ઉપવાસના અંતે હસ્તિનાપુર પધારે છે જ્યાં તેમના પપૌત્ર શ્રેયાંસકુમાર દ્વારા તેમને આવકાર આપી શેરડીના રસના ૧૦૮ ઘડા વડે પારણા કરાવે છે