તા.૨૫મી ડીસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.ઉપરાષ્ટ્રપતિની મુલાકાત અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.૨૪ અને ૨૫મી ડિસેમ્બરે ઉદવાડા ખાતે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-૨૦૧૭ યોજાનાર છે. આ ઉત્સવમાં તા.૨૫/૧૨/૨૦૧૭ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકેયા નાયડુ હાજરી આપશે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠક મળી હતી.
આ બેઠકને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી સી.આર.ખરસાણે દરેક વિભાગને કરવાની થતી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીયન-પારસી)ના સભ્યશ્રી દસ્તુર ખુરશેદ કેકોબાદ દસ્તુરે પણ પારસીઓના આ ઉત્સવમાં મહાનુભાવોની હાજરીને લઇ જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા, અધિક નિવાસી કલેકટર શ્રી આઇ.જે.માલી સહિત અમલીકરણ અધિકારીઓ હાજર હતા.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.