વલસાડ ના શહીદ ચોકની હંગામી ધોરણે ફાળવેલ જગ્યા ઉપર શાકભાજી ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સોશ્યલ ડિસ્ટનીંગ નો ભંગ થતો જણાયો હતો. હાલમાં તંત્ર દ્વારા તિથિલરોડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ કોરોના સંક્રમણ ને રોકવા બે વ્યક્તિ વચ્ચે ના અંતર જાળવવા માટે નિશાન કરાયા છે અને લોકો એ સતત અપીલ કરાઈ રહી છે જોકે , સદનસીબે વલસાડ પંથક માં પરિસ્થિતિ નોર્મલ છે છતાં પણ સાવચેતી રાખવી ખુબજ જરૂરી હોવાથી ભીડ ઉભી ન કરવા જાહેર અપીલ ને લોકો માન આપે તે જરૂરી છે.
Friday, May 17