પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં નવા એસટી ડેપોનું કામ ધોચમાં પડતા મુસાફરો હેરાન થઈ રહ્યા છે વિગતો મુજબ ડેપોમાં કોન્ટ્રાક્ટ તરીકે કામ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર જયસુખ સાવલિયા સુરત-વલસાડ તેમજ બીલીમોરા ડેપોનું ટેન્ડર ભર્યું હતું અને 15- 5-2019 બાર માસમાં ડેપો નું કામ પૂર્ણ કરવાનું હતું ની કિંમત ત્રણ કરોડ આઠ લાખ નક્કી કરાઇ હતી નક્કી કર્યા મુજબ નું અને પ્રક્રિયા સમય અનુસાર પૂર્ણ થઈ ગયા પરંતુ વલસાડ ડેપો બાંધકામ અધિકારીએ તેઓને આર.સી.સી.રોડ કેનોપિંગ નું ફેબ્રિકેશન કામ વધારાનું બતાવેલ અને તેમણે ઘણા અંશે કામગીરી કરેલી પરંતુ વધારા ના કામ ની બાકી નીકળતી રકમ 12 લાખ રૂપિયા જેવી નહીં મળતા ડેપો નું કામ અટકાવ્યુ હોવાનું કહેવાય છે. ત્યારબાદ સેન્ટ્રલ ઓફિસ અમદાવાદ માંથી મળેલી માહિતી મુજબ અઠવાડિયામાં કામગીરી ચાલુ થઇ જશે અને કામગીરી ચાલુ થયા બાદ મંજૂરી મળ્યા બાદ માત્ર દોઢ માસમાં વલસાડ ડેપોનો લોકાર્પણ પણ થઇ જશે વલસાડ ડેપો મેનેજર જયદીપભાઇ જોષીના જણાવ્યાનુસાર ડેપો ની કામગીરી જલ્દી થઈ જતા મુસાફરો તેમજ કર્મચારીઓ ને આનો લાભ મળશે અને ઉનાળાની સખત ગરમીમાં મુસાફરો તેમજ આવતા જતા કર્મચારીઓને બેસવા બેઠક વ્યવસ્થા વી આઇ પી બેઠક કેબિન કેંટિંગ, દુકાનો ,પાર્સલ રૂમ પીવાનું શુદ્દ આર ઓ ના પાણીની વ્યવસ્થા તેમજ નવા એલઇડી લાઇટો ની વ્યવસ્થા નો લાભ લઇ શકશે જોકે હાલ ડેપો ની હાલત શ્વાન ઘર જેવી બની ગઇ છે. જેથી તાત્કાલિક લોકાર્પણ થાય અને હજારો મુસાફરોને સારી સુવિધા નો લાભ મળે એવી લોક માંગ ઉઠવા પામી છે.
Friday, May 24