કાચું કપાતા ચીફ ઓફિસર વસાવા , પ્રમુખ પંકજ આહીર અને ગિરીશ દેસાઈ એ ખો ખો ચાલુ કર્યું. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના મોગરાવાડી ખાતે આવેલ મોટા તળાવ નજીક ના શ્વેતા પાર્ક વિસ્તારમાં માર્ગ ના નિર્માણ નો મુદ્દો કેટલાક સમયથી વિવાદિત બન્યો છે ,અને અહીં રસ્તા ના માર્જીન્ગમાં કેટલાક ઘરોનું દબાણ આવતું હોવાનું જણાવી પાલિકા ના કર્મચારીઓ એ વગર કોઈ નોટિસ દબાણો દૂર કરી દેતા નગર પાલિકા ના ચીફ ઓફિસર જગુ વસાવા પણ વિવાદમાં આવી ગયા છે. માર્ગ ના નિર્માણમાં નડતર રૂપ રહેલ મકાનો નો કેટલોક ભાગ કોઈ પણ જાત ની નોટિસ વગર દૂર કરાતા દેતા પાલિકા તંત્ર ફરી એકવાર ચર્ચા નું કેન્દ્ર બન્યું છે .
વિગતો મુજબ પાલિકાએ ગેરકાયદે અને કાયદેસર બંને તરફનું કેટલાક મકાનો નું ડિમોલીશન કરતા વિવાદ થયો હોવાનું પણ કહેવાય છે અને રહીશો આ મેટર ને કોર્ટમાં લઇ જવા માટે પણ વાતો શરૂ થઈ છે.
જોકે બીજી તરફ મકાન માલિકો એ સ્વૈચ્છિક રીતે પોતા નું મકાન તોડ્યું હોવા અંગે ગિરીશ દેસાઈ એ પંકજ આહિર ને મેસેજ કરી જાણ કરી હોવાનું પ્રમુખ પંકજ અહિર જણાવી રહ્યા છે. આમ વલસાડ ના મોગરવાડી ના ડિમોલિશન પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.
આમ આ પ્રકરણમાં ગિરીશ દેસાઈ , પંકજ આહીર અને ચીફ ઓફિસર વસાવા સંગીત ખુરશી ની રમત
માં પડ્યા હોવાનું સપાટી ઉપર આવતા મુદ્દો ગંભીર છતાં રમુજી બની ગયો છે.