વલસાડ રેલવે ગોદી માં પંજાબ થી ચોખા ની રેક નું કામ ચાલુ હોવા થી ત્યાં 140 થી વધુ મજૂર વર્ગ દ્વારા આ કાર્ય થઈ રહેલ છે લોકડાઉન હોવા થી શહેર માં અને સ્ટેશન એરિયા માં કોઈ પણ જાત નું ખાણી પીણી નું કોઈ પણ પ્રકાર નું પ્રબંધન ન હોવા થી મજુર વર્ગ ને તકલીફ પડી રહી હતી આ તકલીફ ના સમયે વલસાડ ની અલગ અલગ NGO આ મજૂરો ને વ્હારે બે દિવસ થી આવી રહી છે. ગઈ કાલે વલસાડ ગુરુદ્વારા , વલસાડ મુસ્લિમ સમાજ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન સહયોગ થી આ મજુર વર્ગ તેમજ સ્ટેશન આસ પાસ ના ગરીબો ને બપોરે ચાઈ નાસ્તો રાતે પુરી ભાજી અને પુલાવ આપવા માં આવ્યું હતું અને આજ રોજ આ મજુરો ને સવારે ચાઇ નાસ્તો અને બપોરે જમવાનું જમવાનુંજળદેવી મંદિર ટ્રસ્ટ ડોન્ડયા ટેકરા, વલસાડ મુસ્લિમ સમાજ રામવાડી સેવા મંડળ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન ના સહયોગ થી આપવા માં આવ્યો હતો. આ મજૂરો ને વલસાડ રેલવે ના એરિયા મેનેજર શ્રી અનુ ત્યાગી વલસાડ નગર પાલિકા ના સભ્ય ઉજેશ ભાઈ પટેલ મુસ્લિમ સમાજ ના ઈકવાલ કુરેશી, અબ્દુલ મુલ્લા, એજાજ સારાંગ, કાસમ વજીર ,મુદ્દદુ ,ઇશામુદ્દીન ગાંધી તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ ના હુસેન બેલીમ, સંજય સિંહ, કિશોર વાણીયા , મુનાવર શેખ,તુષાર મહાજન અને સુધાકર રાવ ના હસ્તે અપાયું હતું.
Friday, May 17