વલસાડ :- ગુજરાતના ચેરાપૂંજી ગણાતા વલસાડમા હાલ ઉભી થયેલી પાણીની અછતને નિવારવા પારસીવાડના લોકોએ અનોખુ અભયાન હાથ ધર્યુ છે પારસીવાડમા પાણીની તંગી નિવારવા વર્ષો જૂના કુવાઓની સાફ સફાઇ કરી પીવા લાયક પાણી મેળવવા કુવા સફાઇ અભિયાન હાથ ધરાયુ છે
વલસાડમા ચોમાસા દરમ્યાન સરેરાશ ૧૦૦ ઇંચ વરસાદ પડે છે પરંતુ પાણી માટે કોઇ જ આગોતરુ આયોજન ના હોવાને કારણે દર વર્ષે ઉનાળામા પાણીની બુમરાણ મચે છે તેમા આ વખતે વલસાડ નગરપાલિકા વિસ્તારમા પાણીની કપરી મોકાણ સર્જાઇ છે અને લોકો રીતસરના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે વલસાડના પારસીવાડમા લોકોએ પાણીની તંગી નિવારવા આ વિસ્તારમા આવેલા બે કુવાની સાફસફાઇ હાથ ધરી છે અને સાફ સફાઇ બાદ આ પાણી આ વિસ્તારના લોકોને મળી રહે તે માટે પુરુષાર્થ આદર્યો છે
આ અંગે આ વિસ્તારના આદિલ ઝરોલીવાલાએ વિગતો આપી હતી કે હાલ પાણીની અછત ચાલી રહી છે વર્ષો પહેલા વલસાડ જિલ્લામાં અસંખ્ય કુવાઓ હતા જે વર્ષો બાદ આજે કુડા કચરાથી ભરાઇ ચૂક્યા છે અથવા તો માટીના પુરાણથી પુરાઇ ગયા છે વલસાડના પારસીવાડમા પણ આવા બે કુવા હતા જે સમય જતા કચરા અને માટીથી પુરાઇ ગયા હતા ત્યારે આ વિસ્તારના લોકોને વિચાર આવ્યો કે પાણી માટે આ કુવાની સાફ સફાઇ કરી પીવા તેમજ અન્ય વપરાશ માટે કુવાનુ પાણી વાપરીએ તો પાણીની પડતી તંગી દૂર કરી શકાય તે માટે નગરપાલિકામા વાત કરી સ્થાનિક યુવાનોના સહકારથી કુવાઓની સાફસફાઇ હાથ ધરી છે વર્ષોજૂના કુવા હોવાને કારણે પાણી સાથે કચરો મોટા પ્રમાણમા કુવાઓમા જમા થયો છે જેને યુવાનો તેમજ પાલિકાના સ્ટાફ અને ટ્રેક્ટર સહીતની જરૂરી સામગ્રી સાથે સફાઇ કરવામાં આવી છે
જો આ પહેલ નગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમા કે વિસ્તારમા પણ કરવામા આવે તો પાણીની તંગી દૂર કરી શકાય તેમ છે અને લોકોને પીવા માટે તેમજ ઘરવપરાશ માટે જરૂરી પાણી મળી શકશે
https://youtu.be/PxZaYObJ1HY