નવરાત્રી પછી વધેલી પૂજા સામગ્રીનું શું કરવું? ફેંકી દેવાને બદલે આ 5 પવિત્ર રીતે કરો યોગ્ય ઉપયોગ!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

નવરાત્રી પછી વધેલા ફૂલ, કંકુ અને અક્ષતનું શું કરવું? પૂજા સામગ્રીના યોગ્ય નિકાલની સરળ રીત

આજે નવમી તિથિ સાથે નવરાત્રીનું સમાપન થઈ રહ્યું છે. નવ દિવસ સુધી ઘરમાં પૂજા કર્યા પછી જે સામગ્રી બચી જાય છે, તેને તમે ફેંકી દેવાને બદલે ઉપયોગમાં લઈ શકો છો.

નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી પૂજા થાય છે, ત્યારબાદ પૂજાની સામગ્રી બચી જાય છે. પૂજા પછી વધેલી સળગેલી દીવાની વાટ, નાળિયેર, ફૂલ, ચુંદડી, શૃંગાર, ફૂલ માળા વગેરે સામગ્રીનું શું કરવું તે વિશે લોકો ઘણીવાર વિચારે છે.

- Advertisement -

સામાન્ય રીતે, પૂજા સામગ્રીને નદીમાં પ્રવાહિત કરવી યોગ્ય માનવામાં આવે છે. જોકે, જો આ શક્ય ન હોય તો, તમે તેનો અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તમારે પૂજાની સામગ્રીને ફેંકવી ન જોઈએ. ચાલો જાણીએ કે વધેલી પૂજા સામગ્રીનો શું ઉપયોગ કરવો જોઈએ?

wick

- Advertisement -

પૂજાની સામગ્રીનો આ રીતે કરો ઉપયોગ

વધેલી દીવાની વાટ (બાતી)

  • વધેલી દીવાની વાટને કપૂર અને લવિંગ નાખીને સળગાવી દેવી.
  • આ પછી જે રાખ બને, તેને આખા ઘરમાં ફેરવવાથી ગ્રહ દોષ દૂર થાય છે.
  • તમે આ રાખને પછીથી છોડમાં નાખીને ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો.

પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો

  • પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલોને ફેંકવા ન જોઈએ, કારણ કે તે પગમાં આવે તો પાપ લાગે છે.
  • તમારે આ ફૂલોને એકઠા કરીને કુંડામાં (ગમલામાં) અથવા વૃક્ષના મૂળમાં નાખી દેવા જોઈએ.

માતાજીની ચુંદડી

  • માતાજીની ચુંદડીને ઘરમાં સાચવીને રાખો અથવા તમે તેને કન્યા પૂજનમાં કોઈ કન્યાને આપી શકો છો.
  • તમે આ ચુંદડીને તિજોરીમાં અથવા પૈસા રાખવાના સ્થળે પણ સાચવીને રાખી શકો છો.

coconet

નાળિયેર

  • નાળિયેરને પ્રસાદના રૂપમાં કન્યાઓમાં વહેંચી દેવું જોઈએ.
  • જો નાળિયેર ખરાબ નીકળે તો તેને જમીનમાં દાટી દેવું જોઈએ. તેને ફેંકવું યોગ્ય નથી.
  • આ ઉપરાંત, પૂજા, આરતીમાં આવેલા પૈસાને પંડિતને દાન કરી દેવા જોઈએ.
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.