એલિયન્સ બાબતે ફરી એકવાર ચોંકાવનારી વાત સામે આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે એલિયન લોકો હવે મોબાઈલ ટાવરના સિગ્નલના આધારે પૃથ્વી ઉપર વસતા માનવી ઉપર સંશોધન કરી શકે છે.
લાઈફ સાયન્સ રિપોર્ટ અનુસાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા સિગ્નલની મદદથી એલિયન્સ જાણકારી મેળવી શકે છે.
વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ ટાવરમાંથી જે એનર્જી નીકળે છે, તેનો ઉપયોગ રેડિયો અને ટીવી ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે. મોરેશિયસ યુનિવર્સિટીના ડૉ.નલિની જણાવે છે કે, સ્પેસમમાં એડવાન્સ સિવિલાઈઝેશનની સંભાવના છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને જ્યૂપિટર આઈસી મૂન્સ એક્સપ્લોર (JUICE) જેવા એડવાન્સ ડિવાઈસથી નવા સંકેત પણ મળ્યા છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એલિયન્સ ગેલેક્સીમાં એડવાન્સ લાઈફનું સંશોધન કરી રહ્યા છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, જેમ જેમ આપણું કમ્યુનિકેશન મજબૂત થશે, તે પ્રકારે એલિયન્સને પણ આપણી ઓળખ કરવામાં વધુ મદદ પ્રાપ્ત થશે. એલિયન્સ એડવાન્સ મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી શકે છે.
વૈજ્ઞાનિકો ઘણા સમયથી જાણવાની કોશિશ કરી રહ્યા છે કે, અંતરિક્ષમાં એવી કઈ શક્તિ છે, જ્યાં પૃથ્વી કરતા પણ વધુ એડવાન્સ સિવિલાઈઝેશન છે? શું તે એક એલિયન સિવિલાઈઝેશન છે? આ બાબતે વૈજ્ઞાનિકોને નક્કર પૂરાવા મળ્યા નથી પણ અનુમાન અને કેટલાક સંકેતોને આધારે એલિયન વિશે જાણવાનો પ્રયાસ કરી રહયા છે.
એલિયન્સ વિશે પહેલાથી જ ઘણા પ્રશ્નો ઉભા થયા છે, જેમ કે પૃથ્વીની બહાર અન્ય ગ્રહો પર જીવન છે કે કેમ? શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? શું તેઓ આપણા મિત્રો છે અથવા તેઓ પૃથ્વીવાસીઓ માટે મોટો ખતરો છે? આ બધાની વચ્ચે ભૌતિકશાસ્ત્રી માર્ક બુકાનનનો દાવો છે કે જો એલિયન્સ હોય તો તેમની સાથે સંપર્ક કરવાથી પૃથ્વી પરના જીવનનો અંત આવી શકે છે.
એલિયન્સની સભ્યતાઓ કે જેની સાથે આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ તે માનવો કરતાં અનેક ગણી વધુ વિકસિત થવાની સંભાવના છે. તે જ સમયે, કેટલાક ખગોળશાસ્ત્રીઓ માને છે કે એલિયન્સ સાથેના સંપર્કથી માનવતાને જ ફાયદો થશે.