કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર.કે.સિંઘે ઓક્ટોબર 2020માં મુંબઈમાં થયેલા મોટા પાવર-કટમાં ચીનના સાયબર હુમલાને નકારયો . આર.કે.સિંઘે જણાવ્યું હતું કે આપણા ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં લોડ ડીસ્પેચ સેન્ટર પર સાયબર હુમલા થયા હતા પરંતુ તેઓ અમારી ઓપરેટિંગ સિસ્ટમ સુધી પહોંચી શક્યા નથી. સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે માહિતી આપી છે કે મુંબઈમાં તેમની એસસીએડીએ સિસ્ટમ પર સાયબર હુમલા થયા છે.
સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી પાસે એ કહેવાના પુરાવા નથી કે ચીન કે પાકિસ્તાન દ્વારા સાયબર હુમલા કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો કહે છે કે આ હુમલા પાછળ ચીનનો હાથ છે પરંતુ હવે અમારી પાસે તેના પુરાવા નથી. જોકે ચીન આ હુમલા અંગે થયેલા આરોપોને નકારી કાઢવાનું છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, સાયબર એટેકનો મુદ્દો માત્ર મુંબઈ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે. આપણે આ મુદ્દા નું રાજકારણ ન કરવું જોઈએ. મેં આ અંગે કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહ સાથે વાત કરી છે. તેમણે આ વિશે અહેવાલ માંગ્યો છે અને કહ્યું છે કે આપણે સતર્ક રહેવું જોઈએ. મહારાષ્ટ્ર સાયબર સેલે આ અંગે પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો છે.