વિશ્વભરનાં લાખો લોકોનાં મોત માટે જવાબદાર કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ અંગે ચોક્કસપણે કોઈ જાણતું નથી, પરંતુ વિશ્વના ટોચના 18 વૈજ્ઞાાનિકોના ગૂ્રપે કહ્યું છે કે ડેટા-સઘન તપાસના આધારે ચીનની લેબમાંથી વાયરસ નીકળવાની થિયરીને નકારી શકાય નહીં, 2019 ના અંતમાં, ચીનમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો.
ચીના કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા પછી, વાયરસ વૈશ્વિક સ્તરે 30 લાખથી વધુ લોકોને શિકાર બનાવી ચુક્યો છે. અબજો ડોલરનું આર્થિક નુકસાન થયું છે અને 7 અબજ માનવોનું જીવન પાટા પરથી ઉતરી ગયું છે. કેમ્બ્રિજ યુનિવસટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવિન્દ્ર ગુપ્તા અને ફ્રેડ હચીન્સન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસનાં વિકાસ પર સ્ટડી કરનારા જેસી બ્લૂમ સહિત 18 વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે રોગચાળાની ઉત્પત્તિ વિશે વધુ સંશોધનની જરૂર છે.
વૈજ્ઞાાનિકોના ગૃપમાં શામેલ સ્ટેનફોર્ડ યુનિવસટીના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ રેલમૈનએ સાયન્સ જર્નલને લખેલા પત્રમાં કહ્યું છે કે, ચીનની લેબમાંથી વાઇરસને લીક કરવા અથવા પ્રાણીઓમાંથી વાયરસના નિકળવાની થિયરીને નકારી શકાય નહીં. વૈજ્ઞાાનિકોએ એમ પણ કહ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વુહાનમાં ઉત્પત્તિ અને કોરોના વાયરસના ચેપનાં ફેલાવા અંગેની તપાસમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી, સાથે સાથે એ સિદ્ધાંત કે લેબમાંથી વાયરસ લીક થવાની થિયરીને તપાસને લાયક પણ માનવામાં આવી નથી.