દક્ષિણ આફ્રિકામાં વિનાશક પૂરના કારણે દરિયાકાંઠાના પ્રાંત ક્વાઝુલુ-નેટલમાં 400 થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને 40,000 થી વધુ લોકો બેઘર પણ થવા સાથે અનેક લોકો ગૂમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ જાહેર કરી છે.
ભારે વરસાદ અને પુરના કારણે ડરબન બંદરથી ફ્યૂલ લાઇન અને ખાદ્ય પુરવઠો ખોરવાઇગયો છે.
આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડરબનમાં વીજળી અને પાણીની સેવાઓ બંધ થઈ ગઈ છે, પુરને લઈ કેટલાય રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે,અહીંના ક્વાઝુલુ-નાતાલ પ્રાંત અને ડરબનમાં પૂરથી મૃત્યુઆંક વધીને 443 થઈ ગયો છે. લગભગ ચાર હજાર ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. 40 હજાર લોકો બેઘર છે અને 13,500 ઘરોને નુકસાન થયું છે, આ સિવાય 58 જેટલી હોસ્પિટલોને પણ નુકસાન થયું છે.
દુર્ભાગ્યે, હજુ પણ ઘરોમાંથી મૃતદેહો મળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધુ મૃતદેહો મળી રહ્યા છે.
Thursday, May 2