દુબઇથી યમન જઇ રહેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક દરિયામાં આગ લાગતા આખું જહાજ આગમાં સ્વાહા થઈ ગયું હતું જહાજમાં સવાર તમામ 15 ક્રૂ મેમ્બર દરિયામાં કૂદી પડ્યા હતા જેઓને એક કાર્ગો ભરેલા શીપે બચાવી લીધા હતા.
અલ આલમ જહાજ ગત તા. 12/8ના દુબઇથી એક હજાર ટન કાર્ગો ભરીને યમન જવા રવાના થયું હતું.
જે ભારતીય સમય મુજબ સવારે 11 વાગ્યાના અરસામાં મચ્છીરા ટાપુ નજીક હતું ત્યારે તેમાં અચાનક આગ લાગતા જહાજના કેપ્ટન નૌસાદ જુસબની સાથે તમામ ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા બરાબર તેજ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક કાર્ગો શીપ મદદે પહોંચ્યું હતું અને સળગતા જહાજ માંથી કૂદી પડેલા તમામને બચાવી લીધા હતા પરિણામે તમામનો બચાવ થયો હતો આ ક્રૂ મેમ્બર સલાયાના હોવાનું જાણવા મળ્યું છે.