નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન બાબુરામ ભટ્ટરાયે મંગળવારે કોવિડ-19 મહામારી દરમિયાન હિમાલય રાષ્ટ્રને આપવામાં આવતી મદદ બદલ ભારતનો આભાર માન્યો હતો. તબીબી તપાસ માટે નવી દિલ્હીમાં રહેલા પૂર્વ પીએમ ભટ્ટરાયે કહ્યું કે તેઓ નેપાળના લોકો તરફથી ભારતનો આભાર માનવા માંગે છે . બાબુરામે એ.આઈ.ને જણાવ્યું હતું કે, “કોવિડ-19 રસી પૂરી પાડવા બદલ ભારત સરકારનો આભાર. રસી પછી નેપાળ ખૂબ જ ખુશ અને રાહત અનુભવી રહ્યું છે. ‘
નેપાળને ગયા મહિને કોરોના વાયરસ રસીના ૧૦ લાખ ડોઝનો બીજો જથ્થો મળ્યો હતો. નેપાળ મોકલવામાં આવેલી એસ્ટ્રાઝેનેકા રસીનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા કરવામાં આવે છે, જેને કોવિશિલ્ડ કહેવામાં આવે છે.
બંને વચ્ચેના સંબંધો કેમ વણસ્યા છે
ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો અંગે વાત કરતા પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે તેમની સરકારના શરૂઆતના દિવસોમાં સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. ભટ્ટરાયે કહ્યું કે, “શરૂઆતમાં સંબંધો સારા હતા, બાદમાં ભારત અને નેપાળ સરકારને ગેરસમજ થઈ હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા.” ‘
તેમણે ઉમેર્યું હતું કે, “મેં હંમેશા સારા સંબંધો, સારી અર્થવ્યવસ્થાની સ્થિતિ અને નેપાળ અને ભારત સાથે મજબૂત સુરક્ષા સંબંધોની તરફેણ કરી છે.
શું નેપાળ પર ચીની પ્રભાવ ભારત-નેપાળ સંબંધોને અસર કરે છે? આ સવાલ પર ભટ્ટરાયે કહ્યું, “તે યોગ્ય નથી. લોકો વચ્ચે અમારા ગાઢ સંબંધો, આર્થિક અને ઐતિહાસિક સંબંધો છે. બીજા કોઈના કારણે તેની અસર કેવી રીતે થઈ શકે? તેનો ઉકેલ લાવવા માટે બંને પક્ષોએ સાથે બેસવું પડશે.