પાકિસ્તાનમાં હાલ ભૂખમરો ફાટી નીકળ્યો છે ત્યારે હવે પાકિસ્તાનના કટ્ટરપંથીઓ એ દુનિયામાં તબાહી મચાવીને ભંડોળ એકત્ર કરવા સલાહ આપી રહયા છે.
અગાઉના ઈસ્લામ ધર્મના પ્રસાર માટે મુસ્લિમ શાસકોએ સદીઓ અગાઉ એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવારનો આશરો લીધો હતો અને ભારે તબાહી મચાવી હતી તે વાતની યાદ તાજી કરતાં પાકિસ્તાનના કટ્ટરવાદી રાજકીય પક્ષ તહેરીક-એ-લબ્બેક પાકિસ્તાને આર્થિક કટોકટીમાં સપડાયેલા પાકિસ્તાનને બચાવવા માટે ફરી એક વખત જંગ કરવા નીકળી પડવા વડાપ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપતા ભારે વિવાદ થયો છે.
કટ્ટરવાદી રાજકીય પક્ષ તહરીક-એ-લબ્બેકમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા સાદ હુસૈન રિઝવીએ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપી છે કે તેઓએ આર્થિક મદદ માગવા માટે દુનિયા સમક્ષ ભીખ માંગવા કરતા ડાબા હાથમાં કુરાન અને જમણા હાથમાં એટમ બોમ્બની સુટકેસ લઈને નીકળી પડવું જોઈએ.
પાકિસ્તાના વડાપ્રધાને દુનિયામાં ભીખ માગવાની કોઈ જરૂર નથી.
સાદ હુસૈન કહે છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ, આખી કેબિનેટ અને સૈન્યના વડા પણ આર્થિક સહાયની ભીખ માગવા માટે દુનિયાના દેશો સમક્ષ હાથ ફેલાવી રહયા છે.
ત્યારે હું તેમને પૂછવા માંગુ છુંકે તેઓ ભીખ શા માટે માગે છે? હું તો કહું છું કે બહાર નીકળો, રસ્તા પર ઉતરો. બોમ્બના બોક્સની આખી કેબિન ભરીને સ્વીડન લઈ જાઓ અને પછી જો આખી દુનિયા નમતા તમારા પગે ના પડે તો મારું નામ બદલી નાંખજો.
સાદ હુસૈન રિઝવીના આ નિવેદન પછી ત્યાં હાજર લોકોએ ધાર્મિક સૂત્રોચ્ચાર કરી સમર્થન આપ્યું હતું.
આમ,પાકિસ્તાનમાં અભણ નેતાઓ હવે બૉમ્બ લઈ દુનિયામાં લૂંટફાટ કરવાની માનસિકતા ઉપર ઉતરી આવ્યા છે.