પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત નાજુક બનતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તેઓ ઘણા સમયથી બીમાર રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો મુશર્રફને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેઓને દુબઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
રિપોર્ટ્સનું માનીએ તો મુશર્રફને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે અમેરિકન હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 78 વર્ષિય પરવેઝ મુશર્રફ વર્ષ 1999થી 2008 દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી.
માર્ચ 2016થી મુશર્રફ દુબઈમાં છે. તેમની ઉપર વર્ષ 2007માં બંધારણને રદ્દ કરવા સહિત વિવિધ પ્રકારના આરોપો લાગ્યા હતા. ભૂતપુર્વ આર્મી વડા તબીબી સારવાર માટે દુબઈ ગયા હતા અને પરત ફર્યાં ન હતા. આ માટે તેમણે સુરક્ષા તથા સ્વાસ્થ્યને લગતા કારણો રજૂ કર્યા હતા
નોંધનીય છે કે પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપવામાં આવી છે. પાકિસ્તાની ઈતિહાસમાં પહેલીવાર પેશીવાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ સજા આપી હતી. 3 નવેમ્બર, 2007માં દેશમાં ઈમરજન્સી લગાવવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધીમાં બંધારણના નિયમો રોકી રાખવાના આરોપમાં પરવેઝ મુશર્રફ સામે ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014માં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.