શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ રસ્તા પર લોકોનું સમર્થન કરી રહેલા પૂર્વ ક્રિકેટર સનથા જયસૂર્યાએ મુશ્કેલ સમયમાં પોતાના દેશની મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે.
દેશમાં આંદોલનની શરૂઆતની તારીખ એટલે કે 9 જુલાઈને જન દિવસ (જાહેર દિવસ) તરીકે ઓળખવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ સંકટની શરૂઆતથી જ ભારતે અમારી તરફ મદદનો હાથ લંબાવ્યો છે અને દેશને માનવતાવાદી સહાય પૂરી પાડી રહી છે, જેના માટે અમે તેના આભારી છીએ. દેશની વર્તમાન સ્થિતિ પર પૂર્વ ક્રિકેટરે કહ્યું, આ સંકટમાં ભારતની મહત્વની ભૂમિકા છે.
શ્રીલંકાની શેરીઓ અને ગલીઓમાં દેખાવો શરૂઆતથી જ શાંતિપૂર્ણ રહ્યા છે. હું વિરોધીઓની સાથે છું પરંતુ સ્થિર સરકાર બનાવવા માટે વહેલી તકે મક્કમ નિર્ણય લેવામાં આવે. તેમને આશા છે કે દેશમાં સ્થિર સરકાર બન્યા બાદ પણ IMF, ભારત સહિત અન્ય મિત્ર દેશો શ્રીલંકાને મદદ કરશે.
ક્રિકેટના મેદાન પર પ્રતિસ્પર્ધી ટીમના છક્કા છોડાવનાર જયસૂર્યાને જ્યારે રાજકીય પીચ પર એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટપણે ઇનકાર કરી કહ્યું કે તે રાજકારણમાં નહીં આવે.