તુર્કીમાંઆવેલા વિનાશક ભૂકંપને લઈ તુર્કીને મદદરૂપ થવા ભારતે મોટા પ્રમાણમાં સહાય કરી હતી અને બચાવ ટુકડીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અનેક લોકોના જીવ બચાવ્યા હોવા છતા તુર્કીએ યુએનએચઆરસીમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લીધો હતો અને ભારતનો વિરોધ કર્યો હતો.
તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં ફરી એક વખત પોતાના મિત્ર પાકિસ્તાનનો સાથ આપ્યો હતો અને ભારત ઉપર પાયાવિહોણો આરોપ લગાવી જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાનું જણાવ્યું છે. જોકે તુર્કીના આ આરોપ અંગે હાલ ભારતે તુર્કીને ચેતવણી આપતા કહ્યું કે તુર્કીએ ભારતના આંતરિક મામલામાં બિનજરૂરી નિવેદનો આપવા જોઈએ નહિ.
તુર્કીમાં થોડા દિવસો પહેલા આવેલા
ભૂકંપમાં ભારતે મોટા પ્રમાણમાં સહાય કરી હોવા છતા તુર્કીએ બધું ભૂલી જઈ પાકિસ્તાનનો પક્ષ લઈ ભારત ઉપર કાશ્મીર મુદ્દે આરોપો લગાવ્યા હતા.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી મિશનની પ્રથમ સચિવ સીમા પૂજાનીએ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય, ખ્રિસ્તી, હિન્દુઓ અને શીખો સહિત ધાર્મિક માઈનોરિટીના ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો હતો. પૂજાનીએ પાકિસ્તાનમાં લધુમતીને ગાયબ કરવાની ક્રૂર નીતિને લઈને તેની ટીકા કરી હતી.
આમ,તુર્કીએ ભારત સામે આ પ્રકારના વર્તનને લઇ ભારે આશ્ચર્ય ફેલાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે તુર્કી અને સીરિયાને મદદ પૂરી પાડવા સાથે એનડીઆરએફની ટીમ પણ રાહત અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી હતી, ભારત તરફથી ઑપરેશન દોસ્ત હેઠળ આ અભિયાનને માનવતાના આધારે ચલાવવામાં આવ્યુ હતું.
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ધરતીકંપ બાદ ભારત જે ઝડપે બંને દેશોમાં રાહતકાર્ય માટે મદદ મોકલી હતી તેનાથી સમગ્ર દુનિયામાં ખાસ કરીને મધ્ય-પૂર્વના અનેક દેશોમાં તેની વાહ-વાહ થઈ હતી પણ આખરે તુર્કીએ પાકિસ્તાન ને સાથ આપ્યો હતો.