સંરક્ષણ સચિવ અજય કુમાર અને વિયેતનામના નાયબ સંરક્ષણ મંત્રી નગુયેન ચી વિન્હે મંગળવારે સુરક્ષા વાટાઘાટો કરી હતી. તેમાં તેમણે બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માળખા હેઠળ સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન કુમાર અને વિન્હે કોવિડ-19ની અડચણો છતાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભારત અને વિયેતનામની નૌકાદળે ગયા વર્ષે એપ્રિલમાં વિયેતનામ સમુદ્રમાં કાર્યકારી સહયોગ વધારવા માટે ચાર દિવસની કવાયત કરી હતી. ગયા મહિને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામી નૌકાદળ સાથે પેસેજ એક્સરસાઇઝ કરી હતી. એવું માનવામાં આવે છે કે એસોસિયેશન ઓફ સાઉથ એશિયન નેશન્સ (આસિયાન)ના મુખ્ય દેશ વિયેતનામદક્ષિણ ચીન સાગર વિસ્તારમાં ચીન સાથે પ્રાદેશિક વિવાદ ધરાવે છે.