ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે ૧૯મી ગૃહ સચિવ સ્તરની વાતચીત થઈ હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી તેમાં બંને પક્ષોએ પારસ્પરિક સહયોગની પ્રશંસા કરી હતી અને અસરકારક રીતે આતંકવાદ સામે લડવા સંમત થયા હતા. ગૃહ મંત્રાલયે આ માહિતી આપી હતી. બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામની 50મી વર્ષગાંઠ પર મુજીબ બોરશો અને રાજદ્વારી સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બંને દેશોએ આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરવા અને સરહદ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ને નિયંત્રિત કરવા કટિબદ્ધતા કરી હતી.
ગૃહ મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 19મી ગૃહ સચિવ સ્તરની વાતચીત દરમિયાન બંને પક્ષોએ ભારત બાંગ્લાદેશ સરહદ (આઈબીબી) પર બાકી રહેલી ફેન્સિંગ વહેલી તકે પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી હતી. જણાવી એ વાત પર બંને દેશોના પ્રધાનમંત્રીઓએ સંમતિ આપી હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોવિડ-19ના મુદ્દે સહયોગ, વેપાર, કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી, વીજળી, ઊર્જા અને જળ સંસાધનો, પ્રાદેશિક અને બહુપક્ષીય સહયોગ અને સીમા વ્યવસ્થાપન અને સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશે પણ કોરોના ના સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે પારસ્પરિક સહયોગની પ્રશંસા કરી હતી.