ભારત-ચીન સૈનિકોની અથડામણના વાસ્તવિક વિલેન જનરલ ઝાઓ જોંગકીને શી ચિનફિંગ સરકારે મહત્વનું સ્થાન એનાયત કર્યું છે. PLAના ભૂતપૂર્વ ટોચના કમાન્ડરને ચીનની સંસદ (નેશનલ પીલેક્સ કોંગ્રેસ)ની પ્રભાવશાળી વિદેશી બાબતોની સમિતિના ડેપ્યુટી ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝાઓ બે દાયકાથી ભારત સાથે તિબેટ સરહદ પર છે. 65 વર્ષના ઝાઓ વર્ષ 2017માં લદ્દાખ ગતિરોધ અને વર્ષ 2020માં લદ્દાખ ગતિરોધ દરમિયાન વેસ્ટર્ન કમાન્ડના વડા હતા.
જણાવી એ કે, સેનાના ટોચના જનરલની PLF નિયમો હેઠળ નિવૃત્તિવય ૬૫ વર્ષ છે. ૫ માર્ચથી એનપીસીની વાર્ષિક બેઠક પહેલા ઝાઓની નિમણૂક કરવામાં આવી છે. વર્ષમાં એક વખત એનપીસી અને તેની સલાહકાર સંસ્થા ચાઇનીઝ સીપીપીસીસી ની બેઠક મળે છે. ઝાઓએ ચીની સેનાને ગલવાન ખીણમાં હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જનરલ ઝાઓ જોંગકી ભારત સાથે અગાઉ ઘણા તણાવો કરી ચૂક્યા છે.
કહેવામાં આવે છે કે જનરલ ઝાઓ ભારતને અમેરિકા સાથે ગાઢ સંબંધોનો પાઠ ભણાવવા માંગતા હતા, જોકે તે ચીન પર ભારે પડી ગયું હતું કારણ કે જ્યાં 20 જવાનો શહીદ થયા હતા તે ભારતે ચીનના 40થી વધુ સૈનિકોને મારી નાખ્યા હતા. ઝાઓ ઉપરાંત અત્યાર સુધી સશસ્ત્ર પોલીસ દળોના વડા રહી રહેલા જનરલ વાંગ નિંગને બંધારણ અને કાયદા પરની એનપીસી સમિતિના ડેપ્યુટી ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.