સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ 1267 સમક્ષ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. અમેરિકાએ મીરના માથા પર $5 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે.
જોકે,ચીન આતંકવાદ પર પોતાનો મત બદલવા તૈયાર નથી અને આતંકીના સમર્થક તરીકે રહે છે.
હવે મુંબઈ પર 26/11ના હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં અવરોધ ઊભો કર્યો છે. અમેરિકાએ UN સુરક્ષા પરિષદમાં મીરને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભારતે તેનું સમર્થન કર્યું હતું. પરંતુ ચીને વીટો કર્યો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ 1267 સમક્ષ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. યુ.એસ. દ્વારા લાવવામાં આવેલા ઠરાવમાં મીરની સંપત્તિ જપ્ત કરવા, મુસાફરી પર પ્રતિબંધ અને શસ્ત્ર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. અમેરિકાએ મીરના માથા પર $5 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે. 26/11ના હુમલામાં મૃતકોમાં છ અમેરિકનો હોવાને કારણે અમેરિકા સાજિદ મીરને પણ પકડવા માંગે છે.
FATFની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર આવવા માટે પાકિસ્તાને મીરને ટેરર ફંડિંગ કેસમાં 15 વર્ષની સજા ફટકારી છે. જોકે, પાકિસ્તાને હજુ સુધી મુંબઈ પરના આતંકવાદી હુમલાના સંબંધમાં મીર વિરુદ્ધ કેસ નોંધ્યો નથી. સાજિદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, 2008માં પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈમાં જોરદાર આતંકી હુમલો કર્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલા આ હુમલામાં 166થી વધુ નાગરિકો માર્યા ગયા હતા.
ચીને ભૂતકાળમાં પણ ભારત અને અન્ય દેશોના આતંકવાદ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં અવરોધો ઊભા કર્યા છે.
ગયા મહિને, તેણે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના વરિષ્ઠ નેતા અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના યુએસ સમર્થિત પ્રસ્તાવ પર અડોળાઇ કરી આ અગાઉ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં પણ ચીને અડચણ ઊભી કરી હતી