એક આઘાતજનક ઘટના માં મ્યાંમારનાં કચિન વિસ્તારમાં ચાલુ રહેલા અતિભારે વરસાદ ને લઈ અહીં સ્થિતિ અતિ વિકટ બની છે અને વરસાદ વચ્ચે સવારે ભેખડ ધસી પડતા લગભગ 113 મજૂરોનાં મોત થઇ ગયા ના અહેવાલ છે. જ્યારે હજુપણ અનેક મજૂરો હજુ દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મ્યાંમાર ફાયર બ્રિગેડ ના સૂત્રો એ જણાવ્યું કે અત્યારે 113 મૃતદેહોને બહાર કાઢવામા આવ્યા છે, જ્યારે અન્ય ગુમસુદાઓ ની તપાસ ચાલી રહી છે.
સૂચનાં મંત્રાલયનાં એક સ્થાનિક અધિકારી ટાર લિંગ માઉંગે કહ્યું કે, અત્યારે અમે 100થી વધારે મૃતદેહો શોધ્યા છે. હજુ ઘણા મૃતદેહો કીચડમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેનાથી રાહતકાર્યમાં મુશ્કેલી આવી રહી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
Sunday, May 19