મ્યાનમારે રવિવારે લશ્કરી શાસનનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગ કર્યું હતું. માહિતી અનુસાર ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા ના અહેવાલ છે. મુખ્ય શહેર યાંગોનમાં શિક્ષકોના વિરોધ દરમિયાન એક મહિલાનું મોત થયું છે. જોકે તેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
વિરોધીઓ લશ્કરી શાસનનો અંત સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી સહિત અન્ય નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં મ્યાનમારના રાજદૂતના સૈન્ય શાસન સામે કાર્યવાહીના નિવેદન બાદ અહીં જનતાનો વિરોધ વધુ વધી ગયો છે.
એક ફેબ્રુઆરીએ મ્યાનમારની સેનાએ દેશમાં સત્તા પલટો કરીને સત્તા કબજે કરી હતી. દેશના સર્વોચ્ચ નેતા અને નોબેલ વિજેતા આંગ સન સૂ કી સહિત નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના અન્ય નેતાઓને અટકાયતમાં કરીને કટોકટી લાદવામાં આવી હતી.
શનિવારે મોનવ્ય શહેરમાં પોલીસે ફાયરિંગ કરતી વખતે એક મહિલાને ગોળી મારી હતી, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. પોલીસે પાણીના કેનન દ્વારા લોકો પર પાણીનો છંટકાવ પણ કર્યો હતો. શનિવારે પોલીસે વધુ કડકાઈ સાથે યાંગોન અને મંડલેમાં પણ મોટા પાયે ધરપકડ કરી હતી.