યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ભારત સહિત જર્મની, ચેક રિપબ્લિક, નોર્વે અને હંગેરીમાં યુક્રેનના રાજદૂતોને બરતરફ કરવાની જાહેરાત કરી છે.
જર્મની પ્રત્યે ઝેલેન્સ્કી નારાજ હતા કેમકે ગત સપ્તાહે જર્મનીના રાજદૂતે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલર સમર્થિત નાઝીઓના બચાવમાં નિવેદન આપ્યું હોવાથી યુક્રેન નારાજ થઈ ગયું હતું પરંતુ બાકીના રાજદૂતોને કેમ હટાવવામાં આવ્યા તેનો કોઈ ચોક્કસ ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી.
હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલુ છે અને રશિયા હજુપણ યુક્રેન ઉપર કબ્જો કરવામાં નિષ્ફળ રહ્યું છે તેવે સમયે યુક્રેને ભારત સહિત પાંચ દેશોના રાજદૂતોને પોતાના દેશમાંથી હઠવવાની જાહેરાત કરી છે.
જોકે, ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો ના કારણે યુક્રેનને ભારતનું સમર્થન નહિ મળતા તે નારાજ હોઈ શકે તેવું પણ માનવામાં આવે છે તો બીજી તરફ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની વાત કરીએ તો બંને દેશો વચ્ચે સંબંધો ઘણા મજબૂત રહ્યા છે. ઘણા મહત્વના મુદ્દાઓ પર ભારતનો રશિયાએ સાથ આપ્યો છે. માટે ભારત માટે રશિયા ઘણુ મહત્વનુ સાથી છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં રશિયા સ્થાયી સભ્ય છે. રશિયાએ કાશ્મીર મુદ્દે અનુચ્છેદ 370 પર ભારતનુ સમર્થન કર્યુ હતુ.
એટલુ જ નહિ સૌથી મહત્વની વાત એ છે કે ભારતના લગભગ 70 ટકા હથિયાર રશિયાના છે માટે તેના સ્પેર પાર્ટસ માટે આપણે રશિયા પર નિર્ભર હોય રશિયા ભારતનું મિત્ર હોય તે પણ નારાજ ન થાય તે પણ ભારત માટે મહત્વનું હોય ભારત આ મુદ્દે ચૂપ રહ્યું છે.
તેવે સમયે યુક્રેન દ્વારા ભારતના રાજદૂતને હઠવવાની જાહેરાતને આ રીતે આંકવામાં આવી રહી છે.