એક તરફ કોરોના અને બીજી તરફ ચીન ને યુદ્ધ કરવાની ચાનક ચડી છે હાલ માં લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ના ભણકારા વાગી રહ્યા છે.ચીને પોતાના વિસ્તારોમાં સૈન્ય ગતિવધિ વધુ ઝડપી કરી દીધી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચીન સૈન્ય ભારે વાહનોથી તોપ અને અન્ય શસ્ત્રો નો ખડકલો કરી રહ્યું છે. જ્યાંથી થોડીજ વાર માં તેને ભારતીય સરહદ પર લાવવામાં આવી શકે તેમ છે.
ચીનની આ હરકત ચોક્કસપણે શંકાસ્પદ જણાય છે, કારણ કે આ તમામ સ્થિતિમાં બટાલિયન અને બ્રિગેડ સ્તરે સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. હજુ સુધીચીનના સૈનિકો વિવાદવાળી જગ્યા પરથી પરત ફર્યા નથી. ભારતીય સૈનિક પણ અહીં મોરચો સંભાળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં ચીનની સેનાના ક્લાસ એ વ્હિકલ્સ જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC)ની નજીક છે. ભારતીય સીમાથી 25થી 30 કિમી અંતરે ચીનના સૈનિકોની ગાડીઓ છે. તેમા હથિયારો છે. પરિસ્થિતિ બગડવાના ગણતરીના કલાકોમાં જ આ હથિયારો મોરચા પર પહોંચી શકે છે. આ સંજોગોમાં ચીન વાતચીતનું બહાનું બનાવી તેની સૈન્ય તૈયારીઓને વધારે મજબૂત કરી રહ્યું છે
અહેવાલો પ્રમાણે બન્ને દેશના કમાન્ડિંગ ઓફિસર અને બ્રિગેડ કમાન્ડર્સ વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે અત્યાર સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી. શક્ય છે કે મેજર જનરલ રેન્કના અધિકારી વાતચીત કરે જેથી તણાવને ઓછો કરી શકાય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનના જવાબમાં ભારત યોગ્ય વ્યવસ્થા કરી રહ્યું છે. ચીને પણ તેના આશરે પાંચ હજાર સૈનિકો આ વિસ્તારમાં ગોઠવ્યા છે. કેટલીક જગ્યા પર ભારતીય સીમામાં ઘૂસણખોરી પણ કરી છે.
ભારતીય સેનાની રિઝર્વ ડિવીઝનને લદ્દાખમાં ગોઠવવામાં આવી છે. આ એ સૈનિકો છે કે જે ઉંચાઈ પર કે પહાડીઓમાં યુદ્ધને લગતી ઉત્તમ નિપૂર્ણતા ધરાવે છે. શરૂઆતમાં મહામારીને લીધે કેટલીક મુશ્કેલી હતી પણ હવે એરક્રાફ્ટ અને માર્ગ મારફતે પણ સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત શાંતિ ઈચ્છે છે પણ પોતાની સીમામાં કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી તે સહન કરી શકે તેમ નથી.
ભારત અને ચીન વચ્ચે સરહદને લગતા પ્રશ્નો ઉકેલવાના ચાર માર્ગ છે. તેમાંથી બે 1993 અને 1996માં રજૂ કરવામાં આવેલા. વર્ષ 2005 અને પછી 2013માં પણ તેને લઈ પ્રગતિ થઈ. CBM (કોન્ફિડેન્સ બિલ્ડિંગ મેજર્સ) પણ છે. આ સમજૂતીના આધારે બન્ને દેશ વાતચીત કરી સીમા વિવાદનો ઉકેલ મેળવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠકો થઈ ચુકી છે. તેમા પણ સરહદ વિવાદ વાતચીતથી ઉકેલવા માટે સહમતિ બની હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ચાઈના ગમેત્યારે હુમલો કરવાની ફિરાક માં હોવાનું જણાય રહયું છે તેવે સમયે ભારતે ચાઈના ની વાતચીત ના વ્યૂહ ને સમજી શસ્ત્રો ગોઠવવા જોઈએ અને યુદ્ધ નો જવાબ આપવા જાણકારો માં મત વ્યક્ત થઈ રહ્યો છે.