શ્રીલંકાએ ચીનની કોવિડ-19 રસી સાયનોફોર્મનો ઉપયોગ મુલતવી રાખ્યો છે. શ્રીલંકા હવે ૧.૪ કરોડ લોકોને રસી આપવા માટે ભારતમાં ઉત્પાદિત ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ કરશે. મંત્રીમંડળના સહાયક પ્રવક્તા ડો.રમેશ પથીરાનાના જણાવ્યા અનુસાર, ચીનના રસી સિનોફોર્મે હજુ સુધી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા નથી.
પથીરાનાએ જણાવ્યું હતું કે ચીનની રસીની નોંધણી નું સંપૂર્ણ પ્રમાણપત્ર હજી સુધી મળ્યું નથી. તેમણે કહ્યું કે શ્રીલંકા હવે મોટા ભાગે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા રસી પર નિર્ભર રહેશે. સહાયક પ્રવક્તાએ કહ્યું કે, “આ સમયે આપણે એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ કરવાની જરૂર છે. જ્યારે અમને ચીની ઉત્પાદક પાસેથી સંપૂર્ણ દસ્તાવેજો મળે છે, ત્યારે અમે તેની નોંધણી કરવાનું ધ્યાનમાં લઈ શકીએ છીએ. ‘
તેમણે કહ્યું હતું કે, સૈનોફાર્મ રસીની નોંધણીમાં સમય લાગે તેમ હોવા છતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મંજૂરી આપી નથી. તે હજી પણ વિચારણા હેઠળ છે.
નોધનીય છે કે ભારત શરૂઆતથી જ કોરોના મહામારી સામે લડવા માટે વિશ્વનાં અન્ય દેશોને મદદ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતે હિંદ મહાસાગરના દેશોને લાખો કોવિડ-19 રસીઓ પૂરી પાડી હતી. ભારતના આ પ્રશંશનીય પગલાએ આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું. ગયા અઠવાડિયે મ્યાનમારથી બાંગ્લાદેશ અને મોરેશિયસથી સેશેલ્સમાં લાખો ભારતીય રસીઓ પહોંચાડવામાં આવી છે. પાંચ લાખ રસીનો જથ્થો પણ શ્રીલંકા પહોંચી ગયો છે. અન્ય દેશોમાં લાખો રસી મોકલવાની તૈયારી પણ ચાલી રહી છે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે આ વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટર દરમિયાન બ્રાઝિલને કોરોના રસીના બે કરોડ ડોઝ પૂરા પાડવામાં આવશે. આમ, ભારત બાયોટેક પર સમગ્ર વિશ્વમાં દેશોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. જણાવી એ વાત જણાવી એ છે કે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1, 37, 56940 કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને આ રસી ઝડપથી બની રહી છે.